શહેરીજનો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આળસ કરતા હોય, શહેરમાં ફરીવાર કોરોનાએ માથુ ઉંચક્યું છે. શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીના (Positive Patient) આંકમાં વધારો જોવા મળી રહ્યો છે. અને શહેરમાં કોરોનાના કુલ કેસ 20,000 ને પાર કરી ગયા છે. મંગળવારે શહેરમાં વધુ 179 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. અને શહેરમાં પોઝિટિવ દર્દીનો કુલ આંક 20,084 પર પહોંચ્યો છે. તેમજ વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 662 પર પહોંચ્યો છે. તેમજ મંગળવારે શહેરમાં વધુ 189 દર્દીઓ સાજા (Recover) થયા હતા અને અત્યારસુધીમાં કુલ 17,949 દર્દીઓ સાજા થયા છે. તેમજ શહેરમાં રીવરી રેટ (Recovery Rate) 89.4 ટકા પર પહોંચ્યો છે.
બીજી તરફ જિલ્લામાં 119 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કુલ કેસની સંખ્યા 6736 પર પહોંચી છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. જિલ્લામાં અત્યાર સુધી 5466 લોકો ડિસ્ચાર્જ થયા છે. મંગળવારે 95 લોકો ડિસ્ચાર્જ થયા હતા. મંગળવારે કામરેજમાં સૌથી વધુ 30 કેસ નોંધાયા હતા. ચોર્યાસીમાં 22, ઓલપાડમાં 4, પલસાણામાં 18, બારડોલીમાં 9, મહુવામાં 3, માંડવીમાં 12, માંગરોલમાં 19 અને ઉમરપાડામાં 2 કેસ નોંધાયા હતા.