છેલ્લા 6 વર્ષથી જેલવાસ ભોગવતા નારાયણ સાંઈ તથા જામીનમુક્ત 9 આરોપી સાધક સાધિકાઓ વિરુદ્ધ 6 વર્ષની કેસ કાર્યવાહી બાદ આજે સુરતની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી સાધિકા મોનિકા અગ્રવાલ સિવાય, તમામ આરોપીઓ દોષી જાહેર, સજાનો ચૂકાદો 30 એપ્રિલે આવશે.
નારાયણ સાઈ, ગંગા ઉર્ફે ધર્મિષ્ઠા, જમના ઉર્ફે ભાવના પટેલ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન તથા ડ્રાઈવર રમેશ રાજકુમાર મલ્હોત્રાને દોષી જાહેર કર્યો. તમામ આરોપીઓના સજાનો ચુકાદો 30 એપ્રિલ સુધી મુલતવી. જ્યારે આ કેસમાં મોહિત ભોજવાણી, પંકજ ઉર્ફે ચિન્ટુ દેવડા, અજય દિવાન તથા નેહા દીવાન અને મોનિકા અગ્રવાલને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો છે.
સુરતના જહાંગીરપુરા આસારામ આશ્રમમાં ડિસેમ્બર 2001 દરમિયાન સત્સંગ કાર્યક્રમમાં આવેલી સાધિકા યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ તથા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યના ગુનાને ફરિયાદ ડિસેમ્બર 2013માં સુરતના જહાંગીર પુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
આ કેસમાં ગુનો નોંધાયા બાદ મુખ્ય આરોપી નારાયણ સાંઇ સહિત અન્ય આરોપી સાધકો ગંગા જમુના તથા સાધક હનુમાન વગેરે લાંબા સમય સુધી પોલીસ પહોંચથી ભાગતા ફરતા હતા.
દિલ્હી પોલીસે 58 દિવસ બાદ મુખ્ય આરોપી નારાયણ સાંઈને દિલ્હી ખાતેથી મુખ્ય આરોપી નારાયણ સાંઇ તથા તેના ડ્રાઇવર રમેશ મલ્હોત્રાને ઇકોસ્પોર્ટ ગાડીમાંથી ઝડપી લીધા હતા. છેલ્લા 6 વર્ષથી જેલવાસ ભોગવતા નારાયણ સાંઈ તથા જામીનમુક્ત 9 આરોપી સાધક સાધિકાઓ વિરુદ્ધ 6 વર્ષની કેસ કાર્યવાહી બાદ આજે સુરતની એડિશનલ સેશન્સ કોર્ટ મોડી બપોર સુધીમાં ચુકાદો જાહેર કરે તેવી સંભાવના છે
મુખ્ય આરોપી નારાયણ સાંઇના દુષ્કર્મ કેસમાં મદદ કરનાર આરોપીસાધક કૌશલ ઠાકોર ઉર્ફે હનુમાન સાધિકા બહેનો ગંગાબેન ઉર્ફે ધર્મિષ્ઠા પટેલ તથા જમના ભાવના પટેલ સહિત ભાગેડુ આરોપીને મદદગારી કરનાર કુલ નવ આરોપીઓ સામે કેસ કાર્યવાહી ચાલી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં માર્ચ 2014માં કુલ 30 આરોપીઓ સામે કુલ અગિયારસો પાનાનું ચાર્જ સીટ સુરતની સીજીએમ કોર્ટમાં રજુ કર્યું હતું, જે પૈકી એક આરોપી અજય શર્મા વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરવા જેટલો પુરાવો ન હોવાથી સુરત ડીસીબી પોલીસે કેસમાંથી બાકાત કરવા રિપોર્ટ કર્યો હતો.