સુરત : ભારતીય અર્થતંત્રને ખોખલું કરવાના મનસૂબાને સુરત એએસઓજી અને પિસીબી પોલીસે નાકામ કરી રૂપિયા 1.06 લાખની બનાવટી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડયા છે…પોલીસના હાથે ઝડપાયેલા બનાવટી ચલણી નોટોના બંને સોદાગરો ભાવનગર અને અંકલેશ્વરના હોવાનું બહાર આવ્યું છે….બને આરોપીઓ લૂંટ વિથ મર્ડરના આરોપીઓ છે અને સુરતના કાપોદ્રા ખાતે બનાવટી ચલણી નોટો વતાવવા આવ્યા હતા…જે દરમ્યાન પિસીબી અને એસઓજી એ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાપોદ્રા વિસ્તારમાંથી બને ને ઝડપી પાડયા છે.
વીઓ : સુરત એસઓજી અને પિસીબી પોલીસને બાતમી મળી હતી કે ભાવનગર અને અંકલેશ્વરના બે ઈસમો સુરતના કાપોદ્રા વિસ્તારમાં બનાવટી ચલણી નોટો વતાવવા આવી રહ્યા છે.પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી કાપોદ્રા નજીક આવેલ બોમ્બે કોમ્પ્લેક્સ પાસેથી બને આરોપીઓને ઝડપી પાડ્યા હતા.પોલીએ કરેલી તપાસમાં આરોપીઓ પાસેથી 100 ,500 અને 200 ના દરની બનાવટી ચલણી કુલ 1.06 લાખની નોટો મળી આવી હતી.પોલીસે બને આરોપીઓની કરેલી પ્રાથમિક પુછપરછ માં તેઓ અંકલેશ્વર અને ભાવનગરના રહેવાસી છે..જ્યાં સુરતના કાપોદ્રા ખાતે બનાવટી ચલણી નોટો વતાવવા આવ્યા હતા.આરોપીઓ પેરોલ જમ્પ ના પણ આરોપીઓ છે અને લૂંટ વિથ મર્ડના ગુનામાં પણ સંડોવાયેલા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.આ સિવાય બોટાદ સહિત અન્ય પોલીસ મથકોમાં પણ અનેક ગુનામાં સામેલ હોવાનું જાણવા મળે છે.બનાવટી ચલણી નોટોના આ નેટવર્ક માં અન્ય આરોપીઓની પણ સંડોવણી હોવાની આશંકા પોલીસ સેવી રહી છે.તો બીજી તરફ આરોપીઓ છેલ્લા લાંબા સમયથી શહેરમાં બનાવટી ચલણી નોટોના નેટવર્ક સાથે સંકળાયેલ હોવાનું પણ સૂત્રો થકી જાણવા મળી રહ્યું છે.પોલીસને એવી પણ આશંકા છે કે આરોપીઓએ સુરતમાં અનેક બનાવતી ચલણી નોટો વટાવી છે.જે આશંકા ના પગલે બંને આરોપીઓના રિમાન્ડ મેળવવાની સાથે કડક પુછપરછ શરૂ કરી છે.
પોલીસ રિમાન્ડ અન્ય આરોપીઓના નામ ખુલે તેવી સંભાવના હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે.બનાવટી ચલણી નોટો બંને આરોપીઓ ક્યાંથી લાવ્યા અને કોની પાસેથી લાવ્યા હતા તે પોલીસનો તપાસનો વિષય બની રહ્યો છે. જો કે જોવાનું એ રહેશે કે બનાવતી ચલણી નોટોના આ નેટવર્ક માં હજી કોણ કોણ સામેલ છે અને આ નોટોનું નેટવર્ક ક્યાં સુધી પ્રસરાયેલું છે તે બાબત હવે પોલીસ માટે મહત્વની બની રહે છે.