સુરત ફાયર સેફટી અને ટ્રાફિકને નડતર રૂપ એવા ગણેશ મંડપોને ફાયર વિભાગે નોટિસ આપી છે. ફાયર વિભાગે બે દિવસ સુધી દરેક ઝોનમાં તપાસ કરી અંતે કુલ 99 ગણેશ પંડાલોને નોટિસ ફટકારી છે. સુરતમાં 70 હજારથી વધુ શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે જે ગણેશ મંડપમાં ફાયર સેફટી અને ટ્રાફિકને નડતર રૂપ મંડપ બાંધવામાં આવ્યા હોય તેમજ મંડપમાંથી નીકળવાની અયોગ્ય સુવિધા અને વાયરીંગ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને નોટિસ આપવામાં આવી છે.
Sunday, April 28