સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં આજ રોજ રાશન કાર્ડ પર અનાજ નહીં આપતા લોકોએ અનાજની દુકાન પર હંગામો મચાવ્યો હતો. જેમાં દુકાનમાં અનાજ હોવા છતાં દુકાનદારે અનાજધારકોને અનાજ ન આપતા લોકોએ દુકાન પર હોબાળો મચાવ્યો હતો.
કરીયાણા અને અનાજનો વેપાર કરતા દુકાનદારો ગરીબ અને રાશનકાર્ડ ધરાવતા ગ્રાહકોને અનાજ આપતા નથી. ભાઠેના વિસ્તારમાં ગરીબોને અનાજ ન મળતા ગરીબોની સાથે રહીશોએ પણ આવીને દુકાન પર હંગામો મચાવ્યો હતો અને અનાજ આપવા માંગ કરી હતી.
લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી તેમને અનાજ મળતું નથી. લોકોએ બહુમાળીમાં ફરીયાદ નોંધાવવા છતા તેમને અનાજ મળ્યું નથી. દુકાનદાર દ્વારા અનાજ ન હોવાની ફરીયાદો કરવામાં આવે છે.