સુરત શહેરના નવા પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સાંભળી લીધો હતો. મહત્વનું છે 10 મહિનામાં જ આર બી બ્રહ્મભટ્ટની બદલી સુરતથી વડોદરા પોલીસ કમિશ્નર તરીકે કરવામાં આવતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.
પત્રકારોને સંબોધતા તોમરે જણાવ્યું હતું કે આર. બી બ્રહ્મભટ્ટ દ્વારા અત્યાર સુધી શહેરમાં લૉ એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળવામાં આવી છે. શહેરમાં લો એન્ડ ઓર્ડરની સ્થિતિ વધુ સઘન બનાવવા માટે અમે કટિબદ્ધ છે. પ્રજા માટે પોલિસિંગ વ્યવસ્થા વધુ સારી કરવામાં આવશે.
રક્ષાબંધનના પર્વ પર ચાર્જ લેનાર પોલીસ કમિશનર અજય તોમરે શહેરની તમામ બહેનોને જણાવ્યું હતું કે તેઓ પોતાના સ્વપ્ન પૂરા કરવા માટે આગળ વધે પોલીસ તેમની સાથે છે અને હંમેશા તેમની સુરક્ષા માટે તત્પર રહેશે.
સુરતમાં હાલ કોરોના ના કેસો વધી રહ્યા છે અને આ વચ્ચે પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું હતું કે અમદાવાદમાં પણ કોરોના કેસ મેં નિયંત્રણ કરવાનો અનુભવ હોવાથી સુરતમાં પણ તેજ સ્ટ્રેટેજી અપનાવી પોલીસ કાર્ય કરશે.