બારડોલીઃ સુરત જિલ્લાના બારડોલીના વરાડ ગામમાં આજે રવિવારે બપોરે એક કમકમાટી ભરી ઘટના બની હતી. અહીં એક યુવકે કૂવામાં ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. ઘટના બાદ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. જ્યારે બારડોલી ફાયરની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
મળતી માહિતી પ્રમાણે વર્ષોથી સુરત શહેરના કતારગામના વેડ રોડ ઉપર આવેલા ગ્રીમ કોમપ્લેક્ષના 103માં હેમેશ સતિશભાઈ જાદવ પરિવાર સાથે રહેતા હતા. જોકે, થોડા મહિનાઓથી તેઓ બારડોલી તાલુકાના વરાડ ગામે રહેતા હતા.
નિત્ય ક્રમ પ્રમાણે આજે રવિવારે બપોરે હેમેશ જાદવ પોતાના પરિવાર સાથે બપોરનું ભોજન લીધું હતું. ત્યારબાદ થોડા સમય પછી ગામના કૂવમાં મોતની છલાંગ લગાવી હતી. અને આત્મહત્યા જેવું ગભીર પગલું ભર્યું હતું. જોકે, આ વાતની જાણ સ્થાનિકોને થતાં લોકોના ટોળા ઘટના સ્થળે એકઠાં થયા હતા. અને પોલીસને જાણ કરી હતી.
જેના પગલે બારડોલી ફાયરની ટીમ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચીને લાશને બહાર કાઢી હતી. અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. આ સાથે જ પોલીસે પ્રાથમિક કાર્યવાહી હાથધરી હતી. પોલીસને હજી સુધી હેમેશની આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. હેમેશે ભરેલા પગલાંથી પરિવાર ઉપર વજ્રઘાત થયો હતો. અને આખો પરિવાર આક્રંદમાં હતા.