સુરતના વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીને શારીરિક અડપલા કર્યાનો આક્ષેપ લાગ્યો છે અને સ્વામી સામે કતારગામ પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે. ભોગ બનનારા વિદ્યાર્થીના પિતા વિદેશમાં વ્યવસાય કરે છે.
તેમજ વિદ્યાર્થી ગુરુકુળમાં અભ્યાસ કરે છે. તેણે સ્વામીએ પોતાના રૂમમાં એસીની સ્વીચ બંધ કરાવવાના બહાને બોલાવ્યો હતો. આ સમયે રૂમની લાઈટ બંધ કરી અંધારાનો લાભ ઉઠાવી શારિરીક અડપલા કર્યા હોવાનો સ્વામી પર આક્ષેપ લાગ્યો છે.
સ્વામીની આ પ્રકારની હરકતને જોતા વિદ્યાર્થી તાત્કાલીક પોતાના ઘરે પહોંચ્યો અને માતાને હકીકત જણાવ્યા બાદ ફરિયાદ દાખલ થઈ.