રાજયમાં કોરોના વાયરસના વધી રહેલ કેસને લઈ સરકારની ચિંતામાં હાલ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વરાછા અને કતારગામ ઝોનમાં કોરોના ચેપને નિયંત્રણમાં લેવા માટે પાનના ગલ્લાઓ પર ફરી એક વખત તવાઇ આવી છે. આ બે ઝોનમાં પાનના ગલ્લાઓ બંધ કરવા તાકીદ કરવામાં આવી છે. પાનના ગલ્લાઓ પર મોડી રાત સુધી લોકોની ભીડ થતી હોવાની ફરિયાદ બાદ ગલ્લાઓ બંધ કરાવવા તાકીદ કરવામાં આવી છે.
સુરત શહેરના વરાછા અને કતારગામા ઝોનમાં બહારથી આવતા લોકોની અવરજવર પર હાલ પાલિકાઓ દ્વારા સખત તકેદારી રાખવા માટે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે, છેલ્લા બે દિવસથી લારીઓ પર ભાર ભીડ એકઠી થતી હોવાના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની શક્યતા સેવાઈ રહી છે.