નવસારી જિલ્લામાં કોરોના અટકવાનું નામ નથી લેતો. જેથી રવિવારે જિલ્લામાં વધુ 6 કેસ કોરોના પોઝિટિવના નોîધાતા આંકડો 97 પર પહોંચ્યો છે. જેમાં ચીખલી તાલુકામાં 2, વેસ્મા ગામે 1, ગણદેવી તાલુકામાં 1, વિજલપોર શહેરમાં 1 અને એરૂ ગામે 1 કેસ નોંધાયા છે. જ્યારે એક કોરોના દર્દી સાજો થયો છે. રાજ્ય સરકારે છુટછાટો આપ્યા બાદ નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર વધવા લાગ્યો છે. છતાં પણ લોકો કોરોનાના સંક્રમણથી બચવા તકેદારી રાખતા નથી અને સોશિયલ ડીસ્ટન્સિંગના ધજાગરા ઉડાડી રહ્યા છે. લોકડાઉનના બીજા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધારો થતા 46 કેસો નોંધાવા સાથે જિલ્લામાં કુલ 97 કેસો નોંધાઈ ચુક્યા છે.
રવિવારે ચીખલી તાલુકાના સમરોલી ગામે રહેતો ટેમ્પો ડ્રાઇવર અને સ્પંદન હોસ્પિટલના ડોક્ટરનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જલાલપોરના વેસ્મા સંદલપોર ગામે રહેતો યુવાન, ગણદેવી તાલુકાના કાદિપોર રોડ રોડ પર શિવમપાર્ક સોસાયટીમાં રહેતા અને સુરત આઇસીઆઇસીઆઇ બેંકનો યુવાન, વિજલપોરના આશાપુરી સોસાયટી સામે દયાલબાગમાં રહેતા આધેડ અને જલાલપોર તાલુકાના એરૂ ગામે મોટા ફળિયામાં રહેતા યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો બીજી તરફ નવસારી શાંતાદેવી રોડ પર રહેતા કોરોના પોઝિટિવ યુવાને કોરોનાને માત આપી સાજો થયો છે. હાલ જિલ્લામાં 42 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 52 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અનમે 3 દર્દીઓના મોત નિપજ્યા છે.