સુરત જિલ્લામાં આગની ઘટના બંધ થવાનું નામ નથી લઈ રહી હજુ તક્ષશિલાની શાહી સુકાઈ નથી ત્યાં બીજી એક ઘટના સામે આવી છે. સુરતના કોસંબા પાસે આવેલી સિતારામ હોટેલમાં ચાર કામદારને વીજ કરંટ લાગવાની ઘટના બની છે. આ આગ લાગવાની ઘટનામાં બેના મોત થયા છે. જ્યારે બે વ્યક્તિને સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ હોટલના સંચાલકો ફરાર થઇ ગયા છે. મૃતકના પરિજનોએ હોટેલ સંચાલકોની બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તપાસની કાર્યવાહી કરી જવાબદારોને સજા કરવા માંગ કરી છે.
Saturday, May 18