Tapi: કાયદો હાથમાં લેનાર RFO અશ્વિના પટેલ ની બદલી ના થઈ તો તાપી મા આદિવાસી સમાજ દ્વારા સોનગઢ બંધ કરાવશે ની ચીમકી.
સોનગઢ તાલુકાના ખેરવાડા વન વિભાગ રેંજમાં દીપડાનો શિકાર કર્યા હોવાના આક્ષેપ થી આદિવાસી સમાજના લોકોને ખેરવાડા વન વિભાગ અધિકાર એ ઢોર માર માર્યો હોવા ના આક્ષેપો સાથે કાયદો હાથમાં લેનાર RFO અશ્વિના પટેલ બદલી ના થઈ તો તાપી મા આદિવાસી સમાજ એ સોનગઢ બંધ કરાવવાની ચીમકી ઉચ્ચારતા ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયુ છે.
તાપી જિલ્લા ના સોનગઢ તાલુકામાં આવેલ ખેરવાડા વન વિભાગ રેન્જ હંમેશા થી વિવાદોમાં રહ્યું છે.
કારણ કે ત્યાંના આર એફ ઓ આશ્વિના પટેલ પોતાના કાળા કારનામાં છુપાવવા સ્થાનિક આદિવાસીઓ પર અત્યાચાર કરતા હોવાના આક્ષેપો વારંવાર થતા રહે છે.જે કેટલા સત્ય અને કેટલા અસત્ય એ તો તપાસનો વિષય છે.
ગ્રામજનો એ કરેલા અક્ષરો મુજબ આજથી દસેક દિવસ અગાઉ ખેરવાડા જંગલમાં દીપડો મૃત હાલતમાં મળી આવ્યો હતો.
જંગલમાંથી વારંવાર વન વિભાગના કર્મચારીઓ પસાર થતા હોવા છતાં એમને આ દીપડો દેખાયો નહીં.અને સ્થાનિકોએ પણ મૃત્યુ પામેલા દીપડા અંગે કોઈ તસ્દી ના લીધી.પરંતુજી એપ્રિલે ગામના સરપંચ અને કેટલાક લોકોએ આ અંગેનો વિડીયોો અને ફોટો સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસરને આપ્યા.ત્યારબાદ સ્થાનિક રેન્જ ફોરેસ્ટ ઓફિસર અશ્વિના પટેલ અને એમની ટીમ એ બબ્બે બબ્બે કરીને દસ જેટલા લોકોને ગામમાંથી આરોપી હોવાના શંકા સાથે ઉઠાવી લીધા.ગઈ ચાર તારીખથી આ લોકોને હિરાસતમાં લીધા બાદ એમને ઢોર માર્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.
ત્યારે હવે સ્થાનિક આદિવાસી આગેવાનો અને ગ્રામજનોએ આ માનવી અત્યાચાર ગુજારનાર વન વિભાગ અધિકારી અને એમની સાથે જે અન્ય દોષિત હોય તેવા લોકોને સસ્પેન્ડ કરી સજા આપવાની માંગ કરી છે.અને જો આમ ના થયું તો સમગ્ર સોનગઢ તાલુકો આદિવાસી સમાજ દ્વારા બંધ કરાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
અહીં મોટા સવાલો એ ઊભા થાય છે કે…
ત્યારે આ સમગ્ર ઘટનામાં સવાલ એ ઉભો થાય છે કે..પકડાયેલા લોકો આરોપી છે કે નહીં એ અદાલત નક્કી કરશે.તે પહેલા આ લોકોને ઢોર મારવા મારવાનો અધિકાર વન વિભાગ અધિકારીઓને કોણે આપ્યો?કાયદા પ્રમાણે કોઈપણ વ્યક્તિને હિરાસતમાં લીધા બાદ 24 કલાકમાં કોર્ટમાં હાજર કરવાના હોય છે તો પાછલી ચાર-પાંચ તારીખથી જેમને હિરાસતમાં લેવામાં આવ્યા છે તેવા લોકોને 9 તારીખ પહેલા કેમ કોર્ટમાં હાજર કરવામાં ના આવ્યા??દીપડા નો શિકાર થયો કે કુદરતી મોત થયું એ તો તપાસ બાદ જ બહાર આવશે તો એ પહેલા પકડાયેલા લોકોને આરોપી તરીકે કેમ માર મારવામાં આવ્યો??આ સમગ્ર ઘટનામાં ગરીબ અને કાયદાથી અજાણ આદિવાસી સમાજને ન્યાય મળે છે કે ફરીથી અધિકારીઓને બચાવવામાં આવે છે તે આવનાર દિવસોમાં જોવું રહ્યું??