વલભીપુર થી ઘાંઘળી રોડ પર ચમારડી ગામ નજીક એક ટુરિસ્ટ ટ્રાવેલ્સ પલ્ટી મારી ગઇ છે. જેમાં અંદાજિત 50 લોકો ઘાયલ થયાં છે જ્યારે 3 થી 4 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. ઘાયલોને હાલ 108ની ટીમ મારફતે વલભીપુર CHCમાં લઇ જવામાં આવશે.
મળતી વિગતો અનુંસાર વલભીપુર થી ઘાંઘળી રોડ પર ચમારડી ગામ નજીક બપોરના 2 થી 2.30 વાગ્યાના અરસામાં આ અકસ્માત સર્જાયો છે. જેમાં 50 લોકો ઘાયલ થયા છે અને 3 થી 4 લોકોના મોત થયા હોવાની વિગત સામે આવી છે. હાલ તો ઘાયલોને સારવાર માટે વલભીપુર લઇ જવામાં આવ્યા છે. ભાવનગર, બરવાળા અને શિહોરની 108ની ગાડીઓ મારફતે ઘાયલોને સારવારઅર્થ વલભીપુર લઇ જવાયા છે. જ્યારે ગંભીરરીતે ઘાયલોને ભાવનગર સર ટી. હોસ્પીટલમાં રિફર કરવામાં આવ્યા છે.