હરિયાણા સરકાર દ્વારા અપાતી ઇનામી રકમ મામલે નારાજ થયેલો રેસલર બજરંગ પુનિયાએ બુધવારે કહ્યું હતું કે તે આ મામલે રાજ્યના રમત મંત્રી અનિલ વિજય સાથે મુલાકાત કરશે, સાથે જ તેણે કહ્યું હતું કે જો તેને અપાયેલા વચન અનુસારની રકમ ન આપવામાં આવે તો તેને અત્યાર સુધી જે પણ રકમ રાજ્ય સરકાર પાસેથી મળી છે તે પરત કરી દેશે.
65 કિલોગ્રામની કેટેગરીમાં ઇન્ટરનેશનલ લેવલ પર ઘણાં બધા મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર રેસલર પુનિયાએ કહ્યું હતું કે હું આ મામલે હરિયાણાના રમત મંત્રી અનિલ વિજને મળીશ. જે પૈસા મળ્યા છે તે પણ ટૂંકમાં જ પાછા વાળી દઇશ, કારણ જે ખોટું છે તે ખોટું જ છે અને હું એ કદી સહન નહીં જ કરું.
બજરંગે જણાવ્યું હતું કે તેના એકાઉન્ટમાં પહેલા દોઢ કરોડ અને તે પછી 75 લાખ મળીને કુલ 2.25 કરોડ રૂપિયા આવ્યા છે. આ રકમ જો કે 3 કરોડ હોવી જોઇતી હતી. આ બાબતે તેને એવું જણાવાયું કે વર્ષના સૌથી મોટા મેડલ માટે પુરેપુરી રકમ આપવામાં આવશે, તે પછીના બીજા મેડલ પર 50 ટકા અને ત્રીજા મેડલ પર 25 ટકા રકમમાં કપાત કરાશે. તે પછી જો કોઇ મેડલ જીતે તો તેના પર કોઇ ઇનામી રકમ આપવામાં નહીં આવે.
हरियाणा के युवाओं ने देश को कइ बेहतरीन मेडल दिए है।भले ही एक छोटा सा राज्य है हरियाणा,पर यहां के खिलाड़ियों ने पूरे देश को कइ बार गर्वित किया है।उनको मिलने वाली राशि में कटौती करके उनके मनोबल को न तोड़ा जाए।मेरी हरियाणा सरकार से विनती है कि इस निर्णय पर दोबारा विचार करे@mlkhattar
— Bajrang Punia ?? (@BajrangPunia) June 25, 2019
બજરંગે કહ્યું હતું કે હરિયાણા સરકારના આ નિર્ણયથી યુવા એથ્લેટોમાં એક ખોટો મેસેજ ગયો છે, તેના કારણે તેમનું મનોબળ તૂટી જશે અને બની શકે કે ભવિષ્યમાં મેડલની સંખ્યા જ ઘટી જાય. પહેલા બજરંગે ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી દર્શાવી હતી