Gujarat ગુજરાતના કેટટલાં સભ્યો રાજ્યસભામાં આજ સુધી ગયા છે તે યાદી જૂઓ જે પી નડ્ડાને બદલે ગુજરાતીને મોકલવા ચળવળ શરૂ થશે.
દિલીપ પટેલ
અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2024
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે ચાર ઉમેદવારો જાહેર કર્યાં છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી. નડ્ડા, ગોવિંદ ધોળકિયા, મયંક નાયક, જસવંતસિંહ પરમારને ઉમેદવાર જાહેર કરાયા છે.
રૂ. 10 હજાર કરોડનું ઉદ્યોગ સામ્રાજ્ય ધરાવતાં પાટીદાર એવા ગોવિંદ ધોળકીયાને નરેન્દ્ર મોદીએ 2007નો ઉપકારનો બદલો 2024માં આપ્યો છે.
સુરતમાં કેશુભાઈ માટે મોટું સન્માન યોજવામાં આવ્યું હતું. જે વિધાનસભાની ચૂંટણીમાં મોદીને હરાવવા માટે વિશાળ સંમેલન 2007માં સરદાર ઉત્કર્ષ સમિતિ દ્વારા યોજવામાં આવ્યું હતું. જેમાં કેશુભાઈને રાજકીય મજબૂત નેતા બનાવવા માટે વરાછામાં કાર્યક્રમ યોજ્યો હતો. ત્યારે આ કાર્યક્રમ નિષ્ફળ જાય અને કેશુભા હાજર ન રહે તે માટે લોવિંદભાઈ અને બીજા બે ઉદ્યોગપતિઓએ સમર કસી હતી. જેમાં કેશુભાઈની સામે ગોવિંદભાઈ, મથુર માધા અને લાલજી ઉગામેડીની ત્રીપુટીએ કેશુભાનો બળવો નિળ્ફળ બનાવ્યો હતો. સરદાર પાટીદારોમાં બે ભાગ પડાવનારા હતા. જેના કારણે મોદીની ગાદી બચી હતી. જે ભક્તિનું ફળ 17 વર્ષ પછી આજે રાજ્યસભામાં મોકલીને મોદીએ આપ્યું છે. સવજીભાઈ ધોળકિયા પણ તેમના કુટુંબના છે.
મોદી ભક્તિનું ફળ ધોળકિયાને મળ્યું છે. આરતી કરે તો ફળ મળે. એવો સિદ્ધાંત મોદી માટે છે. તેઓ 24 વર્ષથી મોદીની ભક્તિ કરી રહ્યાં હતા. સપરતમાં ચંદ્રકાંત પાટીલ કરતાં પણ મોદી સાથે સારા સંબંધો ધોળકિયાના રહ્યા છે.
મોદીને વફાદાર 2001થી છે. તેથી તેઓ સુરતમાં ગોવિંદ ભગત તરીકે ઓળખાય છે.
ગુજરાતમાં મોદી જો કોઈની સૌથી વધારે નજીક હોય તો તે ગોવિંદભાઈ છે. મોદી સાથે સીધા વાત કરતાં હતા. બિલ્ડર તરીકે પડદા પાછળ છે. મોદી અને ધોળકિયાની કહાનીના અનેક પાસા છે.
એક વખત ચોરી થઈ ત્યારે પોલીસ કમિશ્નર જાતે ગોવિંદ ધોળકિયાની કચેરીએ ગયા હતા. અને કમિશ્નરે જાતે ફરિયાદ ગોવિંદભાઈની કચેરીમાં નોંધી હતી.આવો તેમનો વટ પોલીસ વિભાગમાં મોદીના કારણે રહ્યો છે. પીસી પાંડેને સાચવનાર હતા. વડોદરાના લગ્ન, પોલીસ અધિકારીઓ તેમની આસપાસ આંટા મારતાં રહ્યાં છે.
સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ રામ મંદિર નિર્માણમાં 2018 પહેલાં 11 કરોડનું દાન કર્યું હતું. રામમંદિર નિર્માણ માટે નિધિ બનાવવામાં આવી તેના તેઓ ગુજરાતના અધ્યક્ષ હોવાથી 11 કરોડનું દાન કર્યું હતું.
આથી ભાજપે ગોવિંદભાઈને રાજ્યસભાની રિટર્ન ગિફ્ટ આપી છે. બીજી તરફ રાજ્યસભામાંથી પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનું પત્તુ કપાયું છે.
ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને ક્યારેય રાજકીય પ્રતિનેતૃત્વ મળ્યું નહોતું.સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠીના દુધાળાના વતની છે.
સાત ચોપડી ભણેલા ગોવિંદભાઈનો જન્મ 7 નવેમ્બર 1947 ના રોજ થયો હતો. 1964 માં 17 વર્ષની ઉંમરે હીરા કાપવાનું અને પોલીશિંગનું કામ કરતા તેઓ કરતાં ત્યારે 400 રૂપિયા મળતાં હતા, હવે તેમનું રૂ.5 હજાર કરોડનું ધંધાકિય સામ્રાજ્ય છે.
શ્રી રામકૃષ્ણ – SRK કંપનીમાં 6 હજાર કર્મચારીઓ છે. હીરાનું વજન રફના વજનના ઓછામાં ઓછા 28 ટકા હોવું જોઈએ, ધોળકિયાની ટીમે તેને 34 ટકા હાંસલ કર્યું, જે એક અસામાન્ય સિદ્ધિ હતી.
અમદાવાદની ઈન્ડ્સ યુનિવર્સિટી દ્વારા એમને માનદ્ પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી હતી. રામ મંદિર માટે રૂપિયા 11 કરોડનું દાન આપ્યું હતું.
ધોળકિયાને કિરણ હોસ્પીટલમાં 3 વર્ષથી ખરાબ થયેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. હજુ 2 દિવસ અગાઉ જ બ્રેઈનડેડ જાહેર થયેલ વલસાડના યોગશિક્ષિકા રંજનબેનના લિવરનું ગોવિંદભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દેવાયુ છે. કિરણને 1 કરોડ, સ્ટાફ વચ્ચે 30 લાખ આપ્યા હતા. પ્રશ્ન એ જ પ્રગતિનું તેનું સૂત્ર છે.
પોતાના ગામ “દુધાળા” ગામમાં સોલર સિસ્ટમ વિના મુલ્યે આપી છે.
ગુજરાતમાં રાજ્યસભાના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ
ગુજરાતમાં લેઉવા પાટીદાર સમાજના અગ્રણી અને સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા હવે રાજ્યસભાના સાંસદ બનશે. ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા, નારાયણ રાઠવા, અમીબેન યાજ્ઞિકની ટર્મ પૂર્ણ થઈ છે.
જે પી નડ્ડા સામે વિરોધ
ભારતીય જનતા પક્ષના નેતાઓએ 1996 પહેલાં કોંગ્રેસ જ્યારે બિન ગુજરાતીને રાજ્યસભામાં મોકલતી હતી ત્યારે જોરશોરથી વિરોધ કરતો હતો. છતાં મોદીના ભાજપે અરૂણ જેટલી, સ્મૃત્તી ઈરાની, વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકરને ગુજરાતથી ભાજપે મોકલ્યા છે. ગુજરાતને અન્યાય બરાબર ગણવામાં આવી રહ્યું છે.
હવે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડાને ગુજરાતથી રાજ્યસભામાં મોકલી રહ્યાં છે. ત્યારે ઘણો મોટો વર્ગ તેનો અંદરથી વિરોધ કરી રહ્યો છે. કારણ કે ગુજરાતથી ગુજરાતના જ લોકોને મોકલવા જોઈએ. જેથી જેપી નડ્ડાની ઉમેદવારી પરત ખેંચી લેવી જોઈએ એવી ચળવળ પણ ઘણાં લોકો કરી રહ્યાં છે. કારણ કે ગુજરાતથી તો ગુજરાતના જ લોકો રાજ્યસભામાં જવા જોઈએ. જેથી તેઓ ગુજરાતની વાત કરી શકે. હાલ જે નેતાઓ રાજ્યસભામાં ગુજરાતથી ગયા છે તેઓ ગુજરાતનો અવાજ બની શક્યા નથી.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે.
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો છે. તેમાં લોકસભા ચૂંટણી વચ્ચે એપ્રિલ 24માં ગુજરાત રાજ્યસભાના ચાર સભ્ય નિવૃત થતા ચાર બેઠક ખાલી થશે. જો કે ગુજરાતના વિધાનસભાના પરિણામોના આધારે ભાજપને ત્રણ બેઠક હાંસલ કરવામાં મુશ્કેલી નહીં પડે, પરંતુ ચોથી બેઠક માટે પ્રાયોરિટી વોટ કારગર રહેશે. આ ઉપરાંત જૂન 2026માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સભ્ય નિવૃત્ત થઇ રહ્યા છે. તેમાં ભાજપના રામભાઇ મોકરિયા, રમીલાબહેન બારા, નરહરિ અમીન, જ્યારે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ સામેલ છે.
મોદીનું પાટીદાર પત્તુ ધોળકિયા
ભાજપ દર વર્ષે રાજ્યસભામાં પાટીદાર ઉમેદવારને ચૂંટીને મોકલે છે. પણ કોંગ્રેસે માધવસિંહના ખામ થિયરી અપનાવ્યા બાદ છેલ્લાં 44 વર્ષથી એક પણ પાટીદાર નેતાને રાજ્યસભામાંથી મોકલ્યા નથી. વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા હોય છે એટલે કમને કોંગ્રેસની ચંડાળ ચોકડી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપે છે. પણ રાજ્યસભામાં તો કોંગ્રેસના પાટીદારો હવે ઓબીસી બની ગયા છે. 2024માં ફરી એક વખત મોદીએ એક બળવાન પાટીદારને રાજ્યસભામાં મોકલ્યા છે. છેલ્લે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિભાઈ અમીન રાજ્યસભામાં હતા.
2020
ફેબ્રુઆરી 2020માં ગુજરાતની રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે 2 ઉમેદવાર જાહેર કર્યા હતા. અભય ભારદ્વાજ અને રમીલા બારાની કરી પસંદગી હતા. પણ ત્રીજા ઉમેદવાર તરીકે કોઈનું નામ જાહેર કર્યું ન હતું. નરહતી અમિનનું નામ છેલ્લે જાહેર કર્યું હતું.
રિલાયંસ
માર્ચ 2020માં રાજ્યસભાના સભ્ય તરીકે 2008થી સતત બે ટર્મ સુધી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરનારા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રૂપ પ્રેસિડેન્ટ શ્રી પરિમલ નથવાણીએ આંધ્રપ્રદેશથી રાજ્યસભામાં ગયા હતા. તે પહેલાં મુકેશ અંબાણી તેના મુખ્ય પ્રધાનને મળવા ગયા હતા. તેઓ ગુજરાતના છે વિધાનસભાની ચાર બેઠકમાંથી એક બેઠક ભાજપ અને કોંગ્રેસ બન્ને તેને ટેકો આપીને જીતાડી શકે તેમ હતા તેમ છતાં તેમણે આંધ્રપ્રદેશ કેમ પસંદ કર્યું તે એક રહસ્ય છે.
રાજ્યસભા એટલે શું
લોકસભાના સભ્યો ભારતની પ્રજા સીધા મતદાનથી ચૂંટે છે. જ્યારે રાજ્યસભાના સભ્યોને ગુજરાતના લોકોએ વિધાનસભામાં ચૂંટીને મોકલેવા ધારાસભ્યો મતદાન કરીને મોકલે છે.
રાજ્યસભા ક્યારેય વિસર્જન થતી નથી અને તેના એક તૃતીયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. રાજ્યસભાની પ્રથમ બેઠક 13 મે 1952ના રોજ મળી હતી.
ભારતની સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા છે. ભારતના બંધારણ મુજબ, રાજ્યસભામાં 250 સભ્યો હોય છે, જેમાંથી 12 સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. આ સભ્યોને નામાંકિત સભ્યો કહેવામાં આવે છે. આ નિમણૂંકો કલા, સાહિત્ય, વિજ્ઞાન, પત્રકારો અને સામાજિક કાર્યકરો જેવા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોની નિમણૂંક કરે છે. બીજા સભ્યો વિધાનસભામાંથી આવે છે.
રાજ્યસભા પાસે લોકસભા જેટલી જ સત્તા છે. વ્યાપારી બાબતોની સત્તા નથી. સભાઓમાં મતભેદ હોય, લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકો બોલાવવામાં આવે છે. ઇતિહાસમાં 3 સંયુક્ત સત્ર યોજાયા છે, છેલ્લું સત્ર આતંકવાદ વિરોધી પોટા બિલ પસાર કરવા માટે થયું હતું.
ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ છે. રાજ્યસભાના સભ્યો ઉપસભાપતિની પસંદગી કરે છે. તે રાજ્યસભાની રોજિંદી કાર્યવાહીનું સંચાલન કરે છે.
રાજ્યોની બેઠકોની સંખ્યા
ઉત્તર પ્રદેશ 31
મહારાષ્ટ્ર 19
તમિલનાડુ 18
બિહાર 16
પશ્ચિમ બંગાળ 16
કર્ણાટક 12
નામાંકિત 12
આંધ્ર પ્રદેશ 11
ગુજરાત 11
મધ્ય પ્રદેશ 11
ઓરિસ્સા 10
રાજસ્થાન 10
કેરળ 9
પંજાબ 7
આસામ 7
તેલંગાણા 7
ઝારખંડ 6
છત્તીસગઢ 5
હરિયાણા 5
જમ્મુ અને કાશ્મીર 4
હિમાચલ પ્રદેશ 3
ઉત્તરાખંડ 3
દિલ્હી 3
ગોવા 1
અરુણાચલ પ્રદેશ 1
મણિપુર 1
મેઘાલય 1
મિઝોરમ 1
નાગાલેન્ડ 1
રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હી 3
પોંડિચેરી 1
સિક્કિમ 1
ત્રિપુરા 1
અત્યાર સુધી ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા સાંસદોની યાદી અહીં આપવામાં આવી છે, 82 સભ્યોની યાદી છે.
રાજ્ય સભા એ ભારત ના સંસદ નું ઊપલું સદન છે. ભારતીય બંધારણ પ્રમાણે રાજ્ય સભાના 250 સભ્યો છે. ગુજરાતના 11 સભ્યો સદનમાં હોય છે. ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યો કરે છે. રાજ્ય સભાનું ક્યારેય વિસર્જન થતું નથી. તેના એક તૃતિયાંશ સભ્યો દર 2 વર્ષે ચૂંટાય છે. સભ્યોની મુદ્ત 6 વર્ષની હોય છે. જેમાના 12 નામાંકિત સભ્યોની નિમણુંક રાષ્ટ્રપતિ કરે છે.
રાજ્ય સભાની સત્તા વાણિજ્ય મુદ્દાઓ સિવાય લોકસભા જેટલીજ છે. જો સભાઓમાં મતભેદ થાય તો બેય સભાની બેઠક સાથે બોલાવાય છે. લોક સભાના સભ્યોની સંખ્યા બમણી હોવાથી સંયુક્ત સત્રમાં તે વધારે સત્તા ધરાવે છે. અત્યાર સુધી 3 વખત જ સંયુક્ત સત્ર યોજાયું છે, છેલ્લી વખતે ત્રાસવાદ વિરોધી પોટા નો ખરડો પસાર કરવા માટે સંયુક્ત સત્ર યોજાયું હતું.
ભારતના બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિ રાજ્ય સભાના અધ્યક્ષ છે. રાજ્ય સભાના સભ્યો ઉપાધ્યક્ષની ચૂંટણી કરે છે અને તઓ રાજ્ય સભાની દિન-પ્રતિદિનની કાર્યવાહી સંભાળે છે. રાજ્ય સભાની પ્રથમ બેઠક ૧૩ મે ૧૯૫૨માં મળી હતી.
પ્રેમજી ભવાનજી ઠાકેર કોંગ્રેસ 03–04–1952 થી 26–7 – 1952
ઈકબાલ મહોંમદખાલ લોપાણી કોંગ્રેસ 1960-64
ખેમચંદ ચાવડા કોંગ્રેસ 60-66 અને 1966થી 72
મનુભાઈ શાહ કોંગ્રેસ 1956-62 અને 1970-76
માણેક શાહ કોંગ્રેસ 1962-68
મણીબેન વલ્લભભાઈ પટેલ કોંગ્રેસ 1964-70
મોમીન ગુલામ હૈદર વલીમહોંમદ કોંગ્રેસ 1964-70
પુષ્પાબેન મહેતા કોંગ્રેસ (0) 1966-72
યુ. એન. મહીડા અપક્ષ 1968-74
બિહારીલાલ અન્તાણી – કોઈ પણ નહીં – 1966-72
સુરેશ દેસાઈ કોંગ્રેસ 1960-66 અને 66થી 72
ડી.કે. પટેલ જનસંઘ 1970-76
મગનભાઈ પટેલ કોંગ્રેસ 1960-62 અને 1962થી 62-68
ત્રિભોવનદાસ પટેલ કોંગ્રેસ 1967-68 અને 1968-74
શામપ્રસાદ વસાવડા કોંગ્રેસ 1968-70 અને કોંગ્રેસ(0) 1970-76
એચ. એમ. ત્રિવેદી જનતાપક્ષ 1972-79
યોગેન્દ્ર મકવાણા 1982-88, 76-82 અને 73-76
ઘનશ્યામ ઓઝા જનતાપક્ષ 1978-84
સુમિત્રા કુલકર્ણી કોંગ્રેસ 1972-78
હિંમત સિંહ કોંગ્રેસ 1972-78
પ્રફુલ ગોરડીયા ભાજપ 1998-2000
ગોલંદાઝ મોહમધુલાઈં કોંગ્રેસ 1976-82
મનુભાઈ પટેલ જે.ડી. 1978-84
કુમુદબેન જોષી કોંગ્રેસ 1982-88 અને 76-82 અને 73-76
રમણલાલ પરીખ જનતાપક્ષ 1975-81
પીલુ મોદી જનતાપક્ષ 1978-84
તીલોક લોલોઈ કોંગ્રેસ 1977-80
કલાણીયા ઈબ્રાહીમ કોંગ્રેસ 1972-78 અને 78-84
હરિસિંહ મહિડા કોંગ્રેસ 1975-81 અને 81-87
વિરેન શાહ અપક્ષ 1975-81
શંકરસિંહ વાઘેલા ભાજપ 1984-90 ,
(27-11-89 નિવૃત્તિ લઈ લીધી હતી.
ગોપાલસિંહ સોલંકી ભાજપ 1990-96 અને 96-02
દિનેશ ત્રિવેદી જનતાદળ 1990-96
કિશોર મહેતા અપક્ષ 1981-87
ભટ્ટ જીતેન્દ્ર કોંગ્રેસ 1987-93
પ્રણવ મુખર્જી કોંગ્રેસ(I) 14-8-1981 થી 87
એલ. કે. અડવાણી જનસંઘ 1976-82
રઉફ વલીઉલ્લાહ કોંગ્રેસ 1984-90
સાગર રાયકા કોંગ્રેસ 1986-88
ઉર્મીલાબેન ચીમનભાઈ પટેલ કોંગ્રેસ 1993-99
છોટુભાઈ પટેલ કોંગ્રેસ 1987-93
અનંતરાય દવે ભાજપ 1990-96 અને 96-02
ચીમન મહેતા કોંગ્રેસ 1984-90 અને 90-96(જનતાદળ)
ઈર્શાદ મિર્ઝા કોંગ્રેસ 1983-84 અને 84થી 90
રાજુ પરમાર કોંગ્રેસ(I) 1988-94 અને 94-2000 અપક્ષ 2000થી 06
વિઠ્ઠલભાઈ પટેલ કોંગ્રેસ 1982-88 અને 88-94 તેઓ પત્રકાર હતા
રામસિંહ રાઠવા કોંગ્રેસ 1982-88 અને 88-94
પી. શિવશંકર કોંગ્રેસ 1985-87 અને 87થી 93
માધવસિંહ સોલંકી કોંગ્રેસ 1988-94 અને 94-2000
ચીમન શુક્લ ભાજપ 1993-99
કનકસિંહ માંગરોલા ભાજપ 1994-2000
આનંદીબેન પટેલ ભાજપ 1994-2000
બ્રહ્મકુમાર ભટ્ટ કોંગ્રેસ 1996-02
લક્ષમણ બાંગારૂ ભાજપ 1996-02
વાય કે અલઘ કોંગ્રેસ 1996-2000
સવિતા શારદા ભાજપ 1999-05
લલીત મહેતા ભાજપ 1999-05
લેખરાજ બચાણી ભાજપ 2000-06
એ. કે. પટેલ ભાજપ 2000-06
કેશુભાઈ પટેલ ભાજપ 2002-8
જના ક્રિશ્નમૂર્તિ ભાજપ 2002-08
જયંતિ બારોટ ભાજપ 2002-08
સુરેન્દ્ર પટેલ ભાજપ 2005-11
સુર્યકાંત આચાર્ય ભાજપ 2005-11
વિજય રૂપાણી ભાજપ 2006-12
અલ્કા ક્ષત્રિય કોંગ્રેસ 2002-08 અને 08-14
કાનજી પટેલ ભાજપ 2006-12
નટુજી ઠાકોર ભાજપ 2008-14
ભરતસિંહ પરમાર ભાજપ 2008-14
પ્રવિણ રાષ્ટ્રપાલ કોંગ્રેસ 2006-12 અને 12-18
પ્રવિણ નાયક ભાજપ 19-2-2010થી
અરુણ જેટલી ભાજપ
જુગલ ઠાકોર ભાજપ
એસ.પી. જયશંકર ભાજપ
ગોહેલ ચુનીભાઇ ભાજપ
જુગલસિંહ મથુરજી લોખંડવાલા ભાજપ
મનસુખ માંડવીયા ભાજપ
મધુસુદન મિસ્ત્રી કોંગ્રેસ
અહેમદ પટેલ (બાબુભાઈ) કોંગ્રેસ
નારણ રાઠવા કોંગ્રેસ
પરસોત્તમ રૂપાલા ભાજપ
ટુંડિયા મહંત શંભુપ્રસાદજી ભાજપ
વડોદિયા લાલસિંહ ભાજપ
અમી યાજ્ઞિક કોંગ્રેસ