નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ છ માસમાં વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓમાં આવાસ નિર્માણને વેગ
વડોદરા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વસતા જરૂરિયાતમંદ પરિવારો માટે પાકા ઘરનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)’ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ છ માસમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ૧ એપ્રિલ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધીના સમયગાળામાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ ૧૦૭૯ આવાસોનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવેલા તાલુકાવાર આંકડાઓ નીચે મુજબ છે:
-
ડેસર તાલુકો: ૩૩૪ આવાસો (સૌથી વધુ નિર્માણ)
-
પાદરા તાલુકો: ૨૬૬ આવાસો
-
સાવલી તાલુકો: ૧૩૪ આવાસો
-
વાઘોડિયા તાલુકો: ૧૦૮ આવાસો
-
વડોદરા તાલુકો: ૮૭ આવાસો
-
કરજણ તાલુકો: ૬૯ આવાસો
-
ડભોઈ તાલુકો: ૪૩ આવાસો
-
શિનોર તાલુકો: ૩૮ આવાસો
આ યોજના હેઠળ લાભાર્થીઓને ઘર બનાવવા માટે વિવિધ હપ્તાઓમાં સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં બાકી રહેલા આવાસોની પ્રગતિ પર પણ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. લક્ષ્ય એ છે કે નિર્ધારિત સમયમર્યાદામાં તમામ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાના નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરી શકે અને તેમના જીવનધોરણમાં સુધારો આવે.
