વડોદરાના ફતેગંજમાં પાંચ માળનું ગેરકાયદે બાંધકામ ઉભું થઈ ગયું છે અને માર્જિન પણ નથી છોડ્યું છતાં મનપાના તંત્ર વાહકો આરામ ફરમાવી રહયા છે અને કોઈ પગલાં નહી ભરતા હોવાનું સપાટી ઉપર આવ્યું છે.
વડોદરામાં ફતેગંજ સદર બજારમાં આખેઆખી પાંચ માળની ઇમારતનું ગેરકાયદેસર બાંધકામ ઉભું થઈ ગયું ત્યાં સુધી વડોદરા મનપાના જવાબદાર અધિકારીઓને ખબર ન પડી તે વાત ખુબજ આશ્ચર્ય જગાવી રહી છે.
આ ગેરકાયદે ઈમારતમાં માર્જિન પણ છોડવામાં આવ્યું નથી.
પાંચ માળનું આ ગેરકાયદેસર બાંધકામ કરનારા બિન્દાસ જોવા મળી રહયા છે.
વહીવટી તંત્ર પાસે નિયમ વિરુદ્ધ બનેલા બાંધકામ તોડવાનો સમય નથી ફરિયાદ બાદ જ કાર્યવાહી કરવાનો તંત્રમાં અજબ શિરસ્તો જોવા મળી રહ્યો છે.
વડોદરાશહેરની અંદર ગેરકાયદેસર બાંધકામાનો પણ રાફડો ફાટ્યો છે એવી સતત ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે આવા ગેરકાયદેસર બાંધકામો સામે મનપા નું તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
ફતેગંજમાં ઉભું થઈ ગયેલું આ પાંચ માળનું ગેરકાયદે બાંધકામ કોની મીઠી નજર હેઠળ તૈયાર થયું તે તપાસનો વિષય છે.