રાજ્યમાં સુરત,રાજકોટ, અમદાવાદ, બાદ હવે વડોદરામાં પણ આંખ આવવાના કેસોએ દેખા દીધી છે. આંખના રોગ કન્જક્ટિવાઇટિસના કેસ વધવાને તંત્ર એલર્ટ થઈ ગયું છે.
શહેરની એમએસ યુનિવર્સિટીની હોસ્ટેલ રહેતા 150 વિદ્યાર્થીઓને કન્જક્ટિવાઇટિસનો ચેપ લાગતાં ભારે અફરા તફરી મચી હતી.
શહેરની સયાજી હોસ્પિટલમાં આંખના 100 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે જમનાબાઈમાં 150 દર્દી અને ગોત્રી હોસ્પિટલમાં 85 આંખ આવવાના દર્દી નોંધાયા છે.
શહેરમાં વધી રહેલા દર્દીઓની સંખ્યાને પગલે પાલિકાનો આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યુ છે અને જાહેર જનતાને અપીલ કરી છે કે પરિવારમાં એક જણને લક્ષણ હોય અને ડોક્ટરે જે ડ્રોપ આપ્યા હોય તો એ જ ડ્રોપ બીજી વ્યક્તિએ વાપરવા નહીં કારણ કે દરેકના જુદા જુદા ડ્રોપ આપવામાં આવે છે.
શહેરમાં પાંચ વર્ષ બાદ આંખના રોગ
કન્જક્ટિવાઇટિસના કેસ વધતા હાલ
રોજના 2500 થી 3 હજાર જેટલા આંખોના ડ્રોપનું વેચાણ થઈ રહ્યું છે.
મહત્વનું છે કે કંજંક્ટિવાઈટિસને બીજા શબ્દોમાં ‘આંખ આવવી’એમ કહેવાય છે.
આંખમાં રહેલા મેમ્બ્રેનમાં સોજો આવવાથી આંખ સોજીને લાલ થઈ જાય છે. કંજંક્ટિવાઈટિસને કારણે આંખ સતત ખૂંચ્યા કરે છે. ખંજવાળ અને સતત પાણી પડ્યા કરે છે. એલર્જી, આંખનું ઈન્ફેક્શન, વાઈરસ અથવા તો બેક્ટેરિયાને કારણે કંજંક્ટિવાઈટિસ થાય છે. આ રોગમાં તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.