વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં મલેરિયાના લક્ષણો ધરાવતા 1200થી વધુ દર્દીઓ નોંધાયા બાદ ગતરોજ એકજ દિવસમાં દર્દીઓની સંખ્યા 1580 ઉપર પહોંચી હતી
જ્યારે ટાઈફોઇડના 5 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આરોગ્ય વિભાગ મુજબ મલેરિયાના દર્દી દંતેશ્વરમાં, ડેન્ગ્યૂના ફતેપુરા, તરસાલી, જ્યારે ચિકનગુનિયાના ખોડિયારનગર, ટાઇફોઈડના સુભાનપુરા, સમા, એકતા નગર વિસ્તારમાં દર્દીઓ જોવા મળ્યા હતા.
વડોદરામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા છે.
ગતરોજ ગુરુવારે આ દર્દીઓની સંખ્યા 1580 ઉપર પહોંચી હતી
જેને કારણે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
ડેન્ગ્યુના મલેરિયાના અને ચિકનગુનિયાના દર્દીઓ નોંધાયા છે. ત્યારે મનપા દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામા આવ્યું હતું