વડોદરા ના ડભોઇ તાલુકાના સિંધિયાપુરા ગામે ગાયો ને બચાવવા રાત્રે હિંદુ જાગરણ મંચના કાર્યકરો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. મળેલ બાતમીના આધારે ગૌરક્ષકો ગાયો અને મૂંગા પશુધનને કતલખાને લઇ જતી આઇસર ગાડીને અટકાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે સિંધિયાપુરા ગામમાં આ હિંદુ જાગરણ મંચના કાર્યકરો પર લાકડીઓ ધારીયા થી હુમલો કરી પથ્થરમારો કરતાં પાંચ જેટલા ગૌરક્ષકોને ઇજા થતા તેઓને ડભોઇ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.. આ ઘટના બાદ સમગ્ર સિંધિયાપુરા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.
સિંધિયાપુરા ગામ આરીફ સિંધી, હનીફ ગુલાબભાઈ સિંધી, ફારૂક દાદુભાઇ સિંધી, અમીમ રફિકભાઈ સિંધી, તમામ રહે. સિંધિયાપુરા તથા અન્ય લોકોએ ગૌ રક્ષકો ઉપર હુમલો કર્યો હતો તેમજ ગૌ રક્ષકો ની ઇકો ગાડી તેમજ 5 થી 6 બાઇકોનો કચ્ચરઘાણ કરી નાખ્યો હોવાનું ગૌરક્ષકો એ જણાવ્યું હતું.
હિંદુ જાગરણ મંચના કાર્યકરોને બાતમી મળી હતી કે એક આઈસર ટેમ્પો ગાયોને ભરીને કતલખાને લઇ જઇ રહ્યો છે. જેથી તેઓ ડભોઇ સવિતાનગર સોસાયટી પાસે આવેલી ફાટક પર વોચ કરી રહ્યા હતા. તે વખતે જ બાતમી મુજબનો ટેમ્પો ત્યાંથી પુરઝડપે પસાર થતાં ટેમ્પોમાં ગાયો અને પશુધન હોઇ તેને બચાવવા માટે કાર્યકરોએ બાઈક લઈને પીછો કર્યો હતો.
આઇસર ટેમ્પો વઢવાણા થઈ પણસોલી થઈ સિંધિયાપુરા પહોંચ્યો હતો. ત્યાં પીછો કરીને ગૌરક્ષકો પણ પાછળ પહોંચ્યા તો બીજી બાજુ પણસોલી નજીક સંખેડા તરફથી અને અન્ય ગામોથી આવી પહોંચેલા ગૌરક્ષકો પણ ત્યાં હાજર હતા. જે તમામ એકસાથે સિંધિયાપુરા ગામમાં પ્રવેશ લેતાંની સાથે જ ત્યાં પહેલેથી જ હાથમાં ધારિયા લાકડી પાઈપો લઈને ઉભેલા ટોળા એ ગૌ રક્ષકો ઉપર હુમલો કર્યો હતો.
આ ઘટના ની જાણ થતાં જ પોલીસ સ્થળ ઉપર ધસી આવી હતી અને મામલો થાળે પાડી દીધો હતો.મોડી રાતના ઘટનાસ્થળે જિલ્લા પોલીસ વડા તથા જિલ્લાની તમામ પોલીસ સિંધિયાપુરા ગામે પહોંચી હતી જેને લઇ સિંધિયાપુરા ગામ અને તે તરફ જવાના રસ્તાઓ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા હતા. મોડી રાત્રે જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર ઘટના સ્થળે કોમ્બિંગ કરી 7 ઇસમોની ધરપકડ કરી હતી.