વડોદરામાં આમતો ગેર કાયદેસર બાંધકામો તોડવા પહોંચી જતા મનપાના સબંધિત વિભાગના અધિકારીઓ ભારે ફોર્મમાં જણાતા હોય છે પણ આ વિભાગના અધિકારીઓને ફતેગંજ સદર બજારમાં આખેઆખી પાંચ માળની ઇમારતનું ગેરકાયદેસર બાંધકામ ઉભું થઈ ગયું ત્યાં સુધી કેમ ઉંઘતા રહ્યા તે સમજાતું નથી.
આ ગેરકાયદે ઈમારતમાં માર્જિન પણ છોડવામાં આવ્યું નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાછતાં તંત્ર દ્વારા આંખ મિચામણા કરવામાં આવ્યા હોવાનું જણાય આવે છે ત્યારે આ મેટરમાં તંત્રની મિલી ભગત તપાસનો વિષય બની છે.
પાંચ માળનું આ ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ એ જે રીતે ખેલ પાડ્યો છે તે જોતા તેઓને કોઈનું પીઠબળ હોવાની વાત પણ તપાસનો વિષય છે.
વહીવટી તંત્ર આ નિયમ વિરુદ્ધ ઉભા થઇ ગયેલા બાંધકામ તોડવા ક્યારે જશે?તે સવાલ છે.
વડોદરાશહેરમાં ફતેગંજમાં ઉભું થઈ ગયેલું આ ગેરકાયદેસર બાંધકામમાં મનપા નું તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
ફતેગંજમાં ઉભું થઈ ગયેલું આ પાંચ માળનું ગેરકાયદે બાંધકામ ભારે ચર્ચાનો વિષય બન્યું છે.