વલસાડના ઉદવાડા સ્થિત અગિયારી ખાતે પારસી સમાજના લોકોએ અગિયારી ખાતે પૂજા કરીને નવરોઝ પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરી હતી.
પારસી સમાજ દ્વારા પારસીના નવા વર્ષ નવરોઝ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ઉડવાળાના અગિયારી ખાતે મોટી સંખ્યામાં પારસી પરિવારોએ અગ્નિની પૂજા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી
પારસીનું નવું વર્ષ એટલે નવરોઝ આજે નવા વર્ષના દિવસે દેશભરના પારસીઓએ નવા કેલેન્ડર વર્ષ 1392ના પ્રથમ દિવસને નવરોઝ તરીકે ઉજવણી કરવામાં આવે છે ત્યારે પારસીઓનું સૌથી મોટું ધર્મસ્થળ વલસાડના ઉદવાડામાં આવેલું છે જ્યાં પારસીઓ પોતાના ઇસ્ટ દેવ પવિત્ર આશત બહેરામની પૂજા અર્ચના કરે છે
ઉદવાડામાં પારસી પરિવારોએ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને પારસીઓના ધર્મગુરુ વડા દસ્તુરજીએ પણ પારસી કોમ સહિત સમગ્ર દેશને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.