ગુજરાતમાં હાલ કોરોનાકાળ વચ્ચે પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં ગાબડુ પડયુ છે અને અંદાજે 2000 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવ્યો છે. ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં ગાબડું પડેલું જોવા મળ્યું છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાની વાત સામે આવી રહી છે. સરીગામ-આસપાસના ગામના કોંગ્રેસ કાર્યકરોએ પક્ષપલટો કર્યો હોવાના અહેવાલ છે, રાજ્યના મંત્રી રમણ પાટકરે તમામ કોંગ્રેસ કાર્યકરોને ભાજપ નો ખેસ પહેરાવી આવકાર્યા છે. અંદાજે 2000 જેટલા કોંગી કાર્યકર ભાજપમાં જોડાયાનો દાવો કરવામાં આવતા કોંગ્રેસ માટે આ આઘાતજનક સમાચાર છે.
જાણવા મળતી વિગતો અનુસાર ભાજપ સરકાર ની કાર્યશૈલી થી પ્રભાવિત થઇ ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તાર નાં કોગ્રેસ પક્ષના કાર્યકર્તાઓએ પક્ષ છોડી દિપકભાઈ મિસ્ત્રી અને અશોકસિંગ ની આગેવાની હેઠળ પણ 2000 જેટલા કાર્યકરો વન અને આદિજાતિ વિકાસ માનનીય મંત્રી રમણભાઈ પાટકર તથા ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ મુકેશભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા છે જેઓ ને ભાજપ માં આવકાર આપવામાં આવ્યો છે આમ ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા માં રાજકીય સમીકરણો બદલાતા નજરે પડી રહ્યા છે અને રાજકીય માહોલ ગરમાયો છે.
Monday, April 29