વલસાડના અતુલ-દિવેદને જોડતા રેલવે ફાટક બ્રીજનું નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ બ્રીજ બનતા હવે દિવેદ અટાર સહિત આજુબાજુના ગામના લોકો,નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓ, વાહન ચાલકો હવે આરામથી નિયત સમયે પોતાના સ્થળે પહોંચી શકશે.
મહત્વનું છે કે દિવેદ રેલવે ફાટક ઉપર ટ્રાફિક સમસ્યા ખુબજ વધી ગઈ હતી પરીણામે કંપનીઓમાં નોકરી કરવા જતાં કામદારો તેમજ વિદ્યાર્થીઓને ખૂબજ તકલીફ પડતી હતી જે અંગે ફરિયાદો ઉઠતા ગુજરાત સરકારે 52 કરોડના ખર્ચે દિવેદ ફાટક ઉપર નવા બ્રિજનું નિર્માણ કરીને લોકોને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવી છે.
રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી.