વલસાડ: તા. ૫ મી જુલાઇ
વલસાડના મુસ્લિમ ટુર ઓર્ગેનાઝર અને બસ માલીક દ્રારા છેલ્લા 14 વર્ષ થી યાત્રીઓને ઓછા ભાડામાં બાબા અમરનાથ ના દર્શન કરાવવામાં આવે છે. પોતાની લકઝરી બસ માં ભક્તોને લઈ અમરનાથની યાત્રા સાથે વૈષ્ણદેવી તેમજ હરિદ્વાર ની પવિત્ર યાત્રા નો લાભ અપાવે છે મુસ્લિમ બસ ચાલક દ્રારા તમામ હિન્દુ ભાઈઓને લઈ જઈ સાથે જઈ દર્શન કરાવી હિન્દુ – મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આજરોજ વલસાડ થી અમરનાથ ના દર્શને જવા બસ રવાના થઇ રહી છે.
વલસાડથી પ્રસ્થાન થનારી આ બસ ઋષિકેશ,અંબાજી,પુષ્કર, રણુજા, અમૃતસર આગ્રા, જમ્મુ શ્રીનગર, સોનમર્ગ શ્રીનાથજી, બાલતાલ, કાંટરા, શિવખોડી, કુલ્લુ, મનાલી, સીમલા, કુરુક્ષેત્ર, હરિદ્વાર ગંગાના સ્નાન કરાવી વલસાડ પરત આવશે યાત્રામાં પ્રવાસીઓને સવારે ચા, નાસ્તો, તેમજ એક ટંક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે આ યાત્રાનું સુંદર આયોજન બાબુભાઈ લક્ઝરી વાળા તેમજ તેમના પુત્ર ઇમરાન ભાઈ, તેમજ અશોકભાઈ કરાટે અને ઇલયાસ ભાઈ સાથે મળી કરવામાં આવે છે.
આ યાત્રામાં વાપી, સેલવાસ, પારડી ,વલસાડ ,ખેરગામ, બિલ્લીમોરા ,ચીખલી અને નોગામાં ગામના યાત્રાળુઓ યાત્રામાં સામેલ થયા છે.