વલસાડમાં ચોમાસાની ઋતુ શરૂ થતાંજ જર્જરિત બાંધકામો તૂટી પડવાનો સિલસિલો શરૂ થયો છે ત્યારે વલસાડમાં નાનકવાડા વિસ્તારમાં આવેલી મહાકાય પીવાના પાણીની ટાંકી ધરાશાયી થતાં લોકોમાં ભાગદોડ મચી હતી.
વિગતો મુજબ વલસાડના નાનકવાડા વિસ્તારમાં આદિજાતિ વિભાગ કચેરીની બાજુમાં આવેલ પાણીની ટાંકી ધરાશાયી થઈ હતી.
આ ટાંકી છેલ્લા ઘણાજ સમયથી જર્જરિત હતી અને આખરે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન તૂટી પડી છે.
સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પણ ધડાકાભેર તૂટી પડતા લોકોમાં ભારે દોડધામ જોવા મળી હતી.