—કપરાડા તાલુકા માં કુલ ૨૪ ટાવરો અપગ્રેડ કરાશે જેમાં ૮ નવા ટાવરો,૪ બી.એસ.એન.એલ,અને ૧૨ અન્ય કંપની ના ટાવરો અપગ્રેડ કરાશે
—ધરમપુર તાલુકા માં કુલ ૩૯ ટાવરો, જેમાં ૫ નવા,૭ બી.એસ.એન.એલ. અને અન્ય ૨૭ ટાવરો અપગ્રેડ થશે
—વાંસદા તાલુકાના કુલ ૭,જેમાં નવા ૨,બી.એસ.એન.એલ ૪,અને અન્ય કંપની ના ૧ ટાવર જ્યારે આહવા તાલુકાના ના કુલ ૩૬,જેમાં નવા ૮, બી.એસ.એન.એલ. ના ૨૮ ટાવરો,સુબીર તાલુકા ના કુલ ૫૫,જેમાં નવા ૮,બી.એસ.એન.એલ ના ૪૭ ટાવરો,વઘઇ તાલુકાના કુલ ૩૧, જેમાં નવા ૩૧,નવા ૪,બી.એસ.એન.એલ ના ૨૬,અન્ય કંપની ના ૧ ટાવરને અપગ્રેડ કરવા સરકારનો નિર્ણય
(પ્રતિનિધિ,સત્યડે,વલસાડ)
કેન્દ્ર સરકાર દ્વારા નવા મોબાઈલ ટાવરો અંગે અને જુના ટાવરોમાં ઈન્ટરનેટ સ્પીડ અપગ્રેડ કરવા મહતપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે ત્યારે વલસાડ/ડાંગ જીલ્લામાં પણ મોબાઈલ ક્ષેત્રે ક્રાંતિ આવશે જેનો છેવાડાના વિસ્તારમાં લાભ મળનાર છે જે અંગે માહિતી આપવા વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી. આર. પાટીલ તેમજ પ્રદેશ ભાજપ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી પ્રદિપસિંહ વાઘેલા ની સૂચના અને માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા ભાજપ ના પ્રમુખ હેમંતભાઈ કંસારાની આગેવાની માં તેમજ વલસાડ ડાંગ ના સંસદ સભ્ય ડો.કે.સી. પટેલ વિષેશ ઉપસ્તીથી માં જીલ્લા કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નવા મોબાઈલ ટાવરો અને જૂના મોબાઈલ ટાવરો માં ઈન્ટરનેટ સ્પીડ અપગ્રેડ કરવા માટે મહતપૂર્ણ નિર્ણયો લેવાયા છે જેમાં વલસાડ/ડાંગ જીલ્લા ને પણ લાભો મળનાર છે, જે અંગે વિગતવાર માહિતીઓ આપવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના નેતૃત્વ વાળી કેન્દ્ર સરકાર દ્વારા દેશ ના વિવિધ રાજ્યો માં નવા મોબાઈલ ટાવરો અંગે તેમજ જૂના મોબાઇલ ટાવરો માં ઇન્ટરનેટ સ્પીડ અપગ્રેડ કરવા અંગે મહતપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં વલસાડ/ડાંગ જીલ્લા ને પણ લાભ થનાર છે જેની વિગતવાર માહિતી આપવા વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે જીલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા અને વલસાડ/ડાંગના સંસદ સભ્ય ડો. કે.સી. પટેલ દ્વારા માહિતીઓ આપવામાં આવી હતી કે વિષેશ કરી કોરોના મહામારી ના સમયે જ્યારે ઓનલાઇન શિક્ષણ કાર્ય ચાલતું હતું ત્યારે વલસાડ/ ડાંગ જીલ્લા ના અંતરિયાળ તાલુકાઓમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી અંગે મુશ્કેલીઓ નો સામનો વિધાર્થીઓ એ કરવો પડ્યો હતો જે અંગે સંસદ સભ્ય દ્વારા સરકાર માં યોગ્ય રજૂઆતો કરાતા સરકારદ્વારા મહતપૂર્ણ નિર્ણયો લેવાયા હતા જેમાં વલસાડ અને ડાંગ જીલ્લા માં નવા મોબાઈલ ટાવરો અને ૨જી થી ૩જી સ્પીડ અપગ્રેડ કરવામાં આવશે હોવાનું જણાવ્યું હતું, જેમાં કપરાડા તાલુકા માં કુલ ૨૪ ટાવરો અપગ્રેડ કરાશે જેમાં ૮ નવા ટાવરો,૪ બી.એસ.એન.એલ,અને ૧૨ અન્ય કંપની ના ટાવરો અપગ્રેડ કરાશે,ધરમપુર તાલુકા માં કુલ ૩૯ ટાવરો, જેમાં ૫ નવા,૭ બી.એસ.એન.એલ. અને અન્ય ૨૭ ટાવરો, વાંસદા તાલુકાના કુલ ૭,જેમાં નવા ૨,બી.એસ.એન.એલ ૪,અને અન્ય કંપની ના ૧ ટાવર,આહવા તાલુકના ના કુલ ૩૬,જેમાં નવા ૮, બી.એસ.એન.એલ. ના ૨૮ ટાવરો,સુબીર તાલુકા ના કુલ ૫૫,જેમાં નવા ૮,બી.એસ.એન.એલ ના ૪૭ ટાવરો,વઘઇ તાલુકાના કુલ ૩૧, જેમાં નવા ૩૧,નવા ૪,બી.એસ.એન.એલ ના ૨૬,અન્ય કંપની ના ૧ ટાવરને અપગ્રેડ કરવામાં આવનાર છે.
વલસાડ જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જીલ્લા ભાજપ ના મહામંત્રી શિલ્પેશભાઈ દેસાઈ,જીલ્લા ભાજપ કોષાઅધ્યક્ષ રાજેશભાઇ ભાનુશાલી, જીલ્લા મીડીયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.