અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેસરને લઈને ગુજરાતમાં વાવાઝોડા માટે એલર્ટ અપાયું છે અને ભારતીય હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ દરિયામાં સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. રાજ્યનાં તમામ બંદરે એક અને બે નંબરનું સિગ્નલ લગાવાયું છે.
આગામી તા.9-10 જૂને કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લા અને દમણ દરિયા કિનારે દરિયામાં કરંટ જોવા મળતા સંભવિત વાવાઝોડાની અગાહીને લઈને દરિયામાં ચાલતી ગતિવિધિઓ ઉપર વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વલસાડ તેમજ દમણ વહીવટી તંત્ર દ્વારા પણ 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે માછીમારો અને સહેલાણીઓને ભરતીના સમયે દરિયા કિનારેથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે.