વલસાડ ના તિથલબીચ નો વિકાસ કરવા 2016 માં આજના દિવસે આનંદીબેન પટેલે જાહેરાત કરી હતી અને આ પ્રોજેકટ પાછળ કરોડો ના આંધણ બાદ સ્થિતિ ઠેર ની ઠેર રહી છે.
વલસાડના તિથલ બીચને ડિસેબલ ફ્રેન્ડલી બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને ગ્રહણ લાગ્યાની પરિસ્થિતિ હાલ સર્જાઈ છે. વલસાડના જાણીતા તિથલ બીચ પર ગત 17 ફેબ્રુઆરી 2016થી બીચ ડેવલોપીંગનું કામ શરૂ કરાયું હતું. આશરે રૂ.1,66,18,054.60ના ખર્ચે તૈયાર થનાર ડિસેબલ ફ્રેન્ડલી બીચનું કામ કેવું થયું તે ત્યાં જોઈ શકાય છે તિથલ બીચ નો વિકાસ અટકી પડ્યો છે.
તિથલનો દરિયા રમણીય સ્થળ તરીકે પ્રખ્યાત છે. એ ગુજરાતના વલસાડ જિલ્લાને અડીને આવેલ અરબી સમુદ્રના તટ પર આવેલ છે. આ કિનારો તેની કાળી રેતી માટે પ્રખ્યાત છે. તિથલનો દરિયા કિનારો દક્ષિણ ગુજરાતનો લોકપ્રિય પ્રવાશન સ્થળ છે. તિથલ દરિયા કિનારો તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે.
આ દરિયા કિનારો વલસાડ શહેર તેમજ બસ સ્ટેશન અને રેલ્વે સ્ટશનથી ૪ કિમી. ના અંતરે આવેલ છે. રજાના દિવસે લોકો તેમના પરિવાર સાથે આ દરિયા કિનારે મુલાકાત તેમજ ફરવા માટે આવે છે. વલસાડનો તિથલ દરિયા કિનારો ભારતનો પ્રથમ દિવ્યાંગ – મૈત્રીપૂર્ણ (ખાસ વિકલાંગ) તરીકે પ્રખ્યાત થશે તેવી જાહેરાત વચ્ચે હાલ ની સ્થિતિ જોતા વિકાસ ગાંડો થયો હોવાનું જણાય રહ્યું છે.