વલસાડ પંથકમાં ચોક્કસ કવોરી સંચાલકો બેફામ બન્યા છે અને બીજાની પથારી ફેરવી રહયા છે.
આ વિસ્તારમાં આવેલી આર.દેસાઈ ક્વોરી અને લક્ષ્મી કવોરી દ્વારા વિગન બ્લાસ્ટ કરવામાં આવી રહ્યું હોવાનું કહેવાય છે.
ટોટા જ્યાંથી ખરીદવામાં આવે ત્યાંનું સેલિગ બિલ અને બન્ને કોરીનું પરચેઝ બિલ ચેક થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જાય તેમ છે.
વાપી અને પારડી વચ્ચે ઉદવાડાની કવોરીઓમાં બેફામ ખનનના કારણે 1 કિ.મીમાં રહેતા લોકોના મકાનોની વાટ લાગી ગઈ છે.
દરમિયાન મીડિયામાં આવેલા અહેવાલ બાદ વલસાડ ખાણ-ખનીજ વિભાગ દોડતુ થયુ હતું.
ઉદવાડા કવોરી ખાતે પહોંચી સ્થળ નિરીક્ષણ કરી ક્વોરી સંચાલકોને ચારેતરફ પ્રોટેકશન રાખવા તાકીદ કરી છે.
નજીકના તિરાડવાળા ઘરોની મુલાકાત લઇ સ્થાનિકોના નિવેદનો પણ લીધા હતા.
ગાંધીનગરથી આદેશ બાદ તપાસ શરૂ થઇ છે પરંતુ ખરેખરતો તપાસ જે રીતે કરવાની છે તેમાં ઉપર જણાવી ગયા તેમ આર દેસાઈ ક્વોરી અને લક્ષ્મી કવોરી દ્વારા વિગન બ્લાસ્ટ કરવામાં આવી રહ્યું હોવાનો મામલો તેમજ ટાટા જ્યાંથી ખરીદવામાં આવે ત્યાંનું સેલિગ બિલ અને બન્ને કોરીનું પરચેઝ બિલ ચેક થાય તો દૂધનું દૂધ પાણીનું પાણી થઇ જાય તેમ છે.
વલસાડ જિલ્લામાં આમતો 50થી વધુ કવોરી કાર્યરત છે પરંતુ ઉદવાડા હાઇવે નજીક આવેલી 8 જેટલી કવોરીમાં થતા બ્લાસ્ટના કારણે નજીકના ઘરોને નુકસાન પહોંચવા સાથે સુરક્ષાનો પણ અભાવ જોવા મળે છે.
ક્વોરીમાં થતા અવારનવાર બ્લાસ્ટને કારણે ગામમાં ઘરોમાં પણ નુકશાન થઇ રહ્યું છે,જેને લઈને સ્થાનિક લોકોના ઘરોમાં તિરાડો પડી રહી છે અને લોકોમાં ભયનો માહોલ છે.
ત્યારે આ મુદ્દે તપાસ કરી જવાબદાર કવોરી સંચાલકો સામે પગલાં ભરવામાં આવે તે જરૂરી છે