વલસાડ જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી ગયું છે અને કોરોના ના કેસ 500 ને પાર કરી ગયા છે ત્યારે સ્થિતી ખુબજ વિકટ હોવાથી વલસાડ માં હાલ વેપારીઓ દ્વારા સાંજે 4 પછી દુકાનો દુકાનો બંધ રાખવાના નિર્ણય બાદ હવે વલસાડ ના ધાર્મિક અગ્રણીઓ મહંતો અને પુજારીઓ અને પ્રાંત અધિકારીની બેઠક બાદ શ્રાવણ માસ દરમ્યાન ભાવિકો ની ભીડ જમા ન થાય તે માટે મંદિરો પણ સ્વૈચ્છિક રીતે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી મંગળવાર તા. 21 જુલાઇ 2020 થી હિન્દુ સમાજ ના પરંપરાગત સૌથી ધાર્મિક મહિમા ધરાવતા શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચુક્યો છે,ત્યારે માસમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતા કોરોના વધુ વકરવાની દહેશત ને પગલે વહીવટી તંત્ર સાથે મળેલી બેઠકમાં વલસાડ તાલુકાના મોટા મંદિરો શ્રાવણમાં સ્વૈચ્છિક બંધ રાખવાનો ટ્રસ્ટી મંડળોએ નિર્ણય કરવામાં આવ્યો છે.મંદિરોમાં માત્ર પૂજારી ભગવાનની આરતી પૂજા કરશે. આનું સ્વૈચ્છિક અનુકરણ થાય તે માટે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ પ્રાંત અધિકારીઓને આ કાળજી લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી રહી છે.
આ દિવસોમાં મોટા મંદિરોમાં દર્શનાર્થીઓની વધુ ભીડની દહેશત વર્તાતા જિલ્લા વહીવટીતંત્રમાં ચિંતા વધી ગઇ છે.દરમિયાન સોમવારે વલસાડ કલેકટર કચેરીમાં પારનેરા ડુંગરના માચંદ્રીકા, મહાકાળી, અંબા માતાજીના મંદિર, વલસાડના તડકેશ્વર મહાદેવ મંદિર, વલસાડ તાલુકાના ધમડાચીના વૈષ્ણોદેવી મંદિર, વલસાડ તિથલના સાઇબાબા મંદિર, રાબડાના વિશ્વંભરી માતા મંદિરના ટ્રસ્ટીઓઅને પ્રાંત અધિકારી, ટીડીઓ વિભૂતિ સેવક, ડીવાયએસપી મનોજસિંહ ચાવડા, મામલતદાર મનસુખભાઇ વસાવા, સીઓ જે.યુ.વસાવા સાથે આ મુદ્દે ચર્ચા કરવા બેઠક મળી હતી,જેમાં કોરોના સંક્રમણની વધી રહેલા ટ્રસ્ટી મંડળના સભ્યોએ વર્તમાન સ્થિતિ જોતાં સ્વૈચ્છાએ મંદિરો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. આમ વલસાડ માં શ્રાવણ મહિના માં મંદિરો ભાવિકો માટે બંધ રહેતા અને દુકાનો પણ 4 વાગ્યા પછી બંધ થઈ જતા અહીં ફરી એકવાર લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.
Saturday, May 4