વલસાડ થી લઈ સુરત સુધી લાંચ પ્રકરણમાં ગાજેલા ઇન્ચાર્જ નાયબ નિયામક વર્ગ-1 કે.પી.ગામીત વલસાડ માં ડી આઈ એલ આર નો ચાર્જ ધરાવતા હોય અહીં મોટા વહીવટ પાર પાડ્યા હોવાની વ્યાપક ચર્ચા એ ભારે જોર પકડયું છે અને આ વાતે સનસનાટી મચાવી છે
લાંચ પ્રકરણ માં નામ બનાવનાર અધિકારી ગામીત ના વહીવટ અંગે વલસાડ માં તપાસ કરવામાં આવે તો મોટા ખુલાસા થવાની શકયતા છે આ સાહેબ નો એક પંટર જયેશ કામ કરતો હોવાની વાત છે.
વિગતો મુજબ નાયબ નિયામક જમીન દફતરની કચેરી, નાનપુરા, સુરત કચેરીમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ નાયબ નિયામક, વર્ગ-1 અને ઇન્યાર્જ હેડ કલાર્ક, વર્ગ-3ના કર્મચારીએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરેલાના હુકમ બદલ રૂ. 30 હજારની લાંચની માંગણી કરી હતી. જે બાબતે એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવી હેડ કલાર્કને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચિત કરી રૂ. 30 હજારની લાંચની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ ઇન્ચાર્જ નાયબ નિયામકના કહેવાથી લાંચની માંગણી કરી હોવાનું પંચો રૂબરુ કબૂલ પણ કર્યું છે. આ પ્રકરણમાં એસીબીએ ઇન્ચાર્જ નાયબ નિયામક વર્ગ-1 કે.પી.ગામીત અને ઇન્યાર્જ હેડ કલાર્ક વર્ગ-3 ગીરીશભાઇ મોહનભાઇ પટેલની ડિટેઈન કરી તપાસ શરૂ કરી છે જેમાં
લાંચીયા અધિકારી કે.પી. ગામીત નો પથારો છેક વલસાડ સુધી વિસ્તરેલો છે ત્યારે તેની તપાસ વલસાડ માં થશે તો મોટા વ્યવહાર બહાર આવી શકે તેમ છે.
ગામીત નું વતન તાપી જિલ્લામાં સોનગઢ ખાતે ચોરવડગામ છે ત્યાં પણ એસીબીના સ્ટાફે સર્ચ કર્યું હોવાની વાત છે.પરંતુ વલસાડ માં આ લાંચિયા અધિકારી ની મોટી માયાજાળ પથરાયેલી છે, આ સાહેબ વલસાડ માં પણ ડી આઈ એલ આર નો ચાર્જ ધરાવતા હોય તેમનું અહીં નું રોકાણ લેવડદેવડ એક જયેશ નામ નો રહસ્યમય ઈસમ સંભાળી રહ્યો હોવાની વાત તપાસ નો વિષય છે.
અત્રે નોંધનીય છે કે આ સાહેબ ભારે ચર્ચાસ્પદ રહ્યા છે અન્ય તકરારી કેસો કે જે રજીસ્ટર દસ્તાવેજ થયેલ હોય તે દસ્તાવેજ ની એન્ટ્રી સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટે કે તે કચેરી માં ફરજ બજાવતા કર્મચારીઓ એ સર્ટિફાઈડ કરવાની હોય છે પરંતુ કે.પી ગામીત ની સૂચના કે આવા કેસ માં વાંધા અરજી આવે તો એ અરજદારો ના કેસો તકરારી કેસ ઉપર ચડાવી દઈ સિટીસર્વે સુપ્રીન્ટેડેન્ટ સુરત 1 થી 5 એ આ કેસ નાયબ નિયામક જમીન દફતર સૂરત ની કચેરી માં મોકલવાની સૂચના આપવામાં આવેલ જે તકરારી કેસો કે.પી ગામીત ચલાવીને અરજદારો પાસે તેઓ ની તરફેણમાં કામ કરવા અને તેની તરફેણ માં હુકમ આપવામાં એક્કો હોવાની વાત સામે આવી રહી છે.
મતલબ કે ખરેખર રજીસ્ટર દસ્તાવેજ કરવામાં આવેલ હોય અને લેનાર તેમજ વેચનાર સંમતિ થી વહીવટી વ્યવહાર થઈ ગયો હોવાછતાં આ સાહેબ વાંધા અરજી પર કેસ ચલાવી ને ભ્રષ્ટાચાર કરતા હોવાની બૂમ ઉઠી છે ત્યારે વલસાડ માં કેટલા વહીવટ થયા તે મામલે પણ પ્રમાણિક પણે તપાસ થશે તો મોટા ખુલાસા થવાની શકયતા છે.