કોરોના ના કેસો વધતા હવે સંપૂર્ણપણે લોકડાઉન આવી જશે તેવી દહેશત ઉભી થતાં અને બાદ માં બસો અને ટ્રેનો બંધ થઈ જશે તેવો ડર ઉભો થતા હવે સમગ્ર દેશ અને રાજ્ય માં શ્રમિકો એ વતન તરફ દોટ મૂકી છે લોકો પોતાના વતન તરફ બિસ્તરા પોટલા લઈ ને ભાગી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લા માં પણ આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાપીની કંપનીમાં કામ કરતાં શ્રમિકો વતન તરફ પલાયન શરૂ કર્યુ છે. વાપી હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સમાં ઉત્તરપ્રદેશ,મધ્યપ્રદેશ સહિતના સ્થળોએ જવા શ્રમિકો ઉમટી રહ્યા છે.
બપોરે સખત તાપ વચ્ચે પણ શ્રમિકો પોતાનો સામાન લઇ વતન જતા નજરે પડયા હતાં. બુધવારે વાપીના હાઇવે પર જોવા મળ્યા મળ્યા હતાં. શ્રમિકોના મતે અચાનક લોકડાઉન આવે તે પહેલાં ગામડે જતા રહેવું સારું તેમ જણાવી રહ્યા છે.
બીજી તરફ લોકડાઉનમાં રેલવે દ્વારા સિમિત અને સ્પેશ્યિલ ટ્રેન દોડાવાતા લોકોને રિઝવેશન ન મળવાથી ખાનગી ટ્રાવેલ્સનો સહારો લેવો પડ્યો છે. જેને લઇને શ્રમિકો ટ્રાવેલ્સ સંચાલકોને તગડું ભાડું ચૂકવી રહ્યા ની વાત પણ સામે આવી છે.
હાલ ગુજરાતમાં કેસો વધી રહ્યાં છે અને રાત્રી કરફ્યૂ લંબાવાયો છે અને ધીરેધીરે રાત્રી એસટી બસો પણ બંધ થઈ રહી છે ત્યારે આગામી સમય માં લોકડાઉન આવવાની દહેશત ને લઈ લોકો પોતાના વતન તરફ ભાગી રહ્યા છે અને સેંકડો લોકો ફરી વતન ની વાટ પકડતા અગાઉ ના લોકડાઉન જેવો માહોલ ક્રિએટ થયો છે.