વલસાડમાં તડગામનાં માજી સરપંચ વિરૂદ્ધ દુષ્કર્મની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.મળતી માહિતી મુજબ સગીરા સાથે માજી સરપંચે દુષ્કર્મ આચર્યું હતું. જેની ફરિયાદ નારગોલનાં મરીન પોલીસ મથકમાં નોંધાવામાં આવી છે. જેના પગલે મરીન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો ઘટનાનાં પગલે ગ્રામજનોમાં રોષનો માહોલ ફેલાયો છે.
આજથી નવરાત્રીનાં પવિત્ર તહેવારની શરૂઆત થઇ છે ત્યારે માતાની પુજા કરતા લોકો માને છે કે શક્તિ તુ સર્વસ્વ છે અને તારી સામે જ અમારુ શીશ નમી શકે છે. આજે પણ ઘણા શક્તિ સામે પોતાનુ શીશ નમાવે છે પણ નારીનુ સમ્માન રાખી શકતા નથી. આજે પણ નારીને અમુક બુદ્ધિહીન લોકો પગની જુત્તી સમાન ગણતા હોય છે. તેવો જ એક બુદ્ધિહિન શખ્સ સામે આવ્યો છે, જે વલસાડમાં તડગામનાો માજી સરપંચ છે, જેની કરતૂતો પર ગ્રામજનોનું કહેવુ છે કે, એક મહિલાને પોતાની હવસનો શિકાર બનાવવી ક્યાની મર્દાનગી છે, આવુ પાપ કરનારને કડકથી કડડ સજા મળવી જોઇએ.