Valsad: વલસાડ ના મદનવાડ વિસ્તારના ખખડધજ માર્ગથી સ્થાનિક રહીશો, દુકાનદારો ,ઓફિસ ધારકો સાથે રાહદારીઓ પણ પરેશાન.
વલસાડ નગર સેવા સદનને આ વિસ્તારમાં થી નિયમિત રૂપે તમામ વેરાઓ મળે છે છતાં છેલ્લા ઘણા વર્ષોથી મદનવાડના માર્ગને દુરસદ કરવાની ન.પા. ને દુરસ્ત નથી.
નિલેશ પટેલ – સ્થાનિક રહેવાસી તથા દુકાનદાર.
ગત વર્ષે મદન વાડ વિસ્તારના રોડ ઉપર પડેલ ખાડોને પૂર્વા હેતુ થુક ચોપડવાની પ્રક્રિયા પેટે મેટલ પાથરી દેવામાં આવી જેની ઉપર ડામર વર્ક કરવામાં નહીં આવતા હવે પરિસ્થિતિ એ છે કે રસ્તે થી જતા આવતા વાહનોના ટાયર વડે આ પાથરેલ મેટલની કપચી ઊડીને સીધી આમ તેમ ફંગોળાઈ છે જેને કારણે રાહદારીઓને તે વાગે છે તેમજ પાર્ક કરેલ વાહનોને પણ નુકસાન કરે છે જો આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આ વિસ્તારના શોરૂમના કાચ તૂટવાની પણ શક્યતા નકારી નહીં શકાય.
વલસાડ ના મદનવાળ વિસ્તારના રાહદારી માર્ગને દુરસ્ત નહીં કરીને વલસાડ નગર સેવા સદન દ્વારા આ વિસ્તાર સાથે જાણે જાણી જોઈને ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યા ને ફરિયાદો ઉઠી રહી છે.
વલસાડના મદનવાડ વિસ્તાર જે એમ.જી રોડ ને નાકે આવેલ રાકેશ મેડિકલ સ્ટોર થી શરૂ થઈને વલસાડ દશેરા ટેકરી ખાતે આવેલ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કાર્યાલય સુધીનો છે આ બંને છેડાને જોડતો જે રાહદારી માર્ગ છે તે ઘણા વર્ષોથી સાવ બિસ્માર હાલતમાં છે. જેને રીપેર કરવાની વલસાડ નગરપાલિકાને જરા પણ દરકાર નથી. આ વિસ્તારના રાહદારીઓ માટે રીપેર થાય તેની કોઈપણ પ્રકારની દરકાર હોય તેવા વણસાર દેખાતા નથી.
મદનવાડ વિસ્તાર આમ તો મુખ્યત્વ રહેણાંક વિસ્તાર પણ પાછલા દસ-બાર વર્ષથી આ વિસ્તાર પણ મુખ્ય બજાર વિસ્તાર તરીકે વિકસિત થઈ રહ્યો છે જેને કારણે આ વિસ્તાર ઘણી બહુમાળી ઇમારતો આવેલ છે જે રહેણાંક તેમજ વાણિજ્ય પ્રકારની છે જેથી આ ઇમારતોમાં અસંખ્ય દુકાનો ,ઓફિસો તેમજ રહેણાંક ફ્લેટો આવેલ છે. આ વિસ્તારના તમામ શહેરીજનો વક્તો વક્ત નિયમિત રૂપે વલસાડ નગર સેવા સદનમાં પર્વત થતા તમામ સ્થાનિક વેરાઓ ભરપાઈ કરતા આવેલ છે. અને તેથી તેઓના મતે તેઓનો હક્ક પણ છે. કે વલસાડ નગરપાલિકા દ્વારા આ ખખડધ્વજ મારને રીપેર કરીને અવરજવર હેતુ સુગમતા પડે તે રીતે રીપેર કરે.
સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ માર્ગને વલસાડ નગર સેવા સદનના રકોર્ડ પ્રમાણે ચોપડકીય રીતે રીપેર અને દુરસ્ત કરાવી દેવાયની નોંધ ચડાવી દેવામાં આવેલ છે અને તેઓના જણાવ્યા અનુસાર મદનવાડ વિસ્તારનો આ માર્ગ માટે ફાલ ફાળવેલ નાણાકીય રકમ આ માર્ગને રીપેર કરવામાં નહીં વાપરતા મદનવાળ વિસ્તારની પાછળની બાજુએ આવેલ કોચર ફળિયાવાળા માર્ગને વ્હાકડવલાની નીતિ અપનાવી ને રીપેર કરી દેવાયેલ છે. આ બાબત જો વલસાડ નગર સેવાસદનના હાલના વહીવટદાર તેમજ મુખ્ય અધિકારી જો તથસ્થ તપાસ અને ન્યાયિક તપાસ હાથ ધરે તો કદાચ આ પ્રકરણને ગોબાચારી થયાનું પ્રકરણ બહાર આવે.
અહીંના સ્થાનિકો પણ ઇચ્છી રહ્યા છે કે આ બાબતે તપાસ થવી જોઈએ અને આ વિસ્તારનો માર્ગ વહેલામાં વહેલી તકે જનહિત માટે પણ રીપેર થવો જોઈએ