પાંડે પરિવારના મોભી કૈલાશનાથ પાંડે સહિત તેમના પુત્રો અને પૂત્રવધૂઓએ અલગ અલગ બેઠક પર ટિકિટની માંગણી કરી
ભાજપ પક્ષની સ્થાપના જે પરિવારના સભ્યોની પાયાની ભૂમિકા રહી છે તે પરિવારની અવગણના નગરપાલિકાની ચૂંટણીમાં દુરોગામી અસર કરશે
વલસાડ તા ૧૬
વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ૫ માં ભાજપની સ્થાપના અને ભાજપ પક્ષની સારી અને નબળી પરિસ્થિતિમાં પણ પક્ષની સાથે રહી પક્ષને સામાન્ય જનતા સુધી પહોંચાડવાની મહત્વની ભૂમિકા ભજવનાર અને અનેક સેવાકીય અને સામાજિક કર્યો સાથે સંકળાયેલ પાંડે પરિવાર ના મોભી સહિત પરિવારના ૪ સભ્યોએ પક્ષની ટિકિટની માગણી કરી છે.
વલસાડના છીપવાડ વિસ્ત્તારમાં રહેતા પાંડે પરિવારના સભ્યોએ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં પાયાની ભૂમિકા ભજવી છે. પાંડે પરિવારના સ્વર્ગસ્થ મોભી અમરનાથ રઘુનંદન પાંડેએ મૂળ આરએસએસના કાર્યકર તરીકે વલસાડ શહેરમાં વસવાટ કર્યો હતો.૭૦ થી ૮૦ના દાયકામા કોંગ્રેસ પક્ષની આંધી સામે લડવા ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી હતી તે ભારતીય જનસંઘનું દીપકનું પક્ષ પ્રતીક લઈને તત્કાલીન નવસારી જિલ્લાનું ભારતીય જનસંઘનું જિલ્લા કાર્યાલય પાંડે પરિવારના નિવાસ સ્થાન પાંડે સદનં રહ્યું હતું પક્ષ પ્રત્યેની વફાદારી આ પરિવારના સભ્યોનું પ્રમાણ ઇતિહાસના પાનાઓમાં સામિલું છે જ.
ભારતીય જનસંઘના પાયા સમાન માજી વડાપ્રધાન અને રાજકારણમાં સૌના વંદનીય અને આદરનું સ્થાન ધરાવતા માજી વડાપ્રધાન અટલબિહારી વાજપેયી સહિત હાલના વડાપ્રધાન અને દેશને નવી ઊંચાઈએ લઇ જનારા ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદી જયારે પણ આરએસએસના પ્રચારક તરીકે સેવા બજાવતા ત્યારે તેઓ પણ તત્કાલીન ભારતીય જનસંઘ અને બાદમાં હાલની ભારતીય જનતા પાર્ટીના પક્ષના જિલ્લા કાર્યાલય પાંડે સદનની અનેક વખત મુલાકાત લીધી હતી.
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ જયારે વર્ષ ૧૯૭૭માં રાજકીય કટોકટી જાહેર કરી હતી ત્યારે પરિવારના મોભી સ્વર્ગીય અમરનાથ પાંડેએ મીસા એક્ટ હેઠળ પક્ષ માટે ધરપકડ વ્હોરી અઢી વર્ષ સુધી સાબરમતી જેલમાં જેલવાસો ભોગવ્યો હતો.તેમણે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદો પર નેત્રદીપક કામગીરી કરી હતી.તેઓ નગરપાલિકાના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.
પરિવારના વર્તમાન મોભી કૈલાશનાથ પાંડે તેમના સ્વર્ગીય પિતા અમરનાથ પાંડેના નકશે કદમ પાર ચાલ્યા હતા. ભારતીય જનસંઘ અને ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટીની સ્થાપનાથી લઇ વર્તમાન સુધી પાર્ટીના કાર્યકર તરીકે હાલમાં પણ કાર્યરત છે શ્રી કૈલાશનાથ પાંડે ભાજપના જિલ્લા મંત્રી, જિલ્લા મહામંત્રી સહિતના દમણ અને દીવના લોકસભા બેઠકના નિરીક્ષક તરીકેની સેવા તો આપીજ છે. તેઓ વલસાડ નગરપાલિકા સભ્ય તરીકે અને સબળ વિરોધ પક્ષના સભ્ય તરીકે પણ સેવા આપી હતી આ ઉપરાંત ફડચામાં ગયેલ પીપલ્સ બેંકના ડાઈરેક્ટર અને મેનેજીંગ ડાઈરેક્ટરના પદ સાંભળી કુશળ વહીવટકર્તા તરીકે સેવા આપી હતી. તેઓ પશ્ચિમ રેલવેના ઝોનલ રેલવે યુસર્સ કન્સલ્ટેટિવ કમિટીના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.
પરિવારની સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિને આ પરિવારની ત્રીજી પેઢીએ જારી રાખી છે.
પાંડે પરિવારના સભ્ય અને શ્રી કૈલાશનાથ પાંડેયના ત્રીજા પુત્ર યજ્ઞેશ પાંડે વેપાર કરે છે અને તેમની પત્ની ટિ્વકંલ પાંડે શિક્ષિકાઅને ગૃહિણી તરીકે બેવડી ફરજ બજાવી રહી છે પાંડે પરિવારના સૌથી નાના સભ્ય દિવ્યેશ પાંડે વલસાડ ટૂડે નામનું સાપ્તાહિક અખબારનાતંત્રી તરીકે ફરજ બજાવવા ઉપરાંત વલસાડ મીડિયા એસોસિએશનના પ્રમુખ તરીકે હાલ કાર્યરત છે તેમણે સ્થાનિક ટીવી ચેનલોમાં સફળ કેમેરામેન અને પત્રકાર તરીકેની સામાજિક જવાબદારી બખૂબી રીતે નિભાવી સમાજના દરેક વર્ગના લોકો સાથેના દૈનિક સંપર્કો જાળવી રાખ્યા છે જયારે તેમની પત્ની અરૂણા પાંડે જિલ્લાની એક માત્ર મહિલા પત્રકાર વ સાપ્તાહિક અખબારના સહતંત્રી તરીકે અને ગૃહિણી તરીકેની ત્રેવડી ફરજ બજાવે છે
આ પરિવારના ૫ સભ્યોએ ભાજપ પાસેથી અલગ અલગ બેઠકો પર ટિકિટની માંગણી કરી છે.પરિવારના સભ્યોએ કરેલી દાવેદારી પાછળ પક્ષ પ્રતયેની વફાદારીને મુખ્ય કારણ તરીકે રજૂ કર્યું છે. વધુમાં પક્ષની વર્તમાન પ્રવાહી સ્થિતિમાં પક્ષને બેઠક ગુમાવવી નહિ પડે તેવા આશય સાથે ટિકિટની માંગણી કરી છે. પાંડે પરિવારના સભ્યોની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ માત્ર તેમના વોર્ડ પૂરતી સીમિત નથી પરંતુ આ પરિવારના સભ્યો સમગ્ર નગરમાં સેવાકીય અને સામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે.ભાજપ સંગઠનના પદાધિકારીઓ દ્વારા પાંડે પરિવારની અવગણના કરવાનું ભૂલ ભરેલું બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
———–
સૌથી વધુ ૩૧ દાવેદારોએ વોર્ડ નંબર ૫માં પક્ષની ટિકિટની માંગણી કરી
વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથેજ નવા વોર્ડ સીમાંકન મુજબ થનાર હોય ભાજપ દ્વારા દાવેદારો પાસેથી
આભાર – નિહારીકા રવિયા તેમને પક્ષીય ધોરણે ટિકિટ આપવાની કવાયત અંતર્ગત જે તે વિસ્તારના દાવેદારો પાસે થી નામાંકન મંગાવ્યા છે. સભ્ય તરીકે ટિકિટ આપવા નિમાયેલ નિરીક્ષકોએ તમામ દાવેદારોની નામાવલી તૈયાર કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે
વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનું કાઉંન્ટ ડાઉન શરૂ થતા શહેરના રાજકારણમાં અચાનક સળવળાટ શરૂ થયો છે. વલસાડ નગરપાલિકાના વર્તમાન શાસકોની વહીવટી અણઆવડતને લઇ નગરજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે. નગરપાલિકાના વર્તમાન શાસકો પૈકીના ઉચ્ચ પદ પર હાલે કાર્યરત પદાધિકારીઓને પુનઃ તેમના હોદ્દા મળે તેવી શક્યતા નહિવત હોઈ વર્તમાન ભાજપી સભ્યો પૂનઃ રિપીટ થઇ એવી શક્યતા દાવદારોના રાફડાને લઇ નહિવત બની છે.તેવા સંજોગોમાં જિલ્લા,તાલુકા અને શહેર ભાજપના પદાધિકારીઓએ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં ભજપના ઉમેદવારોની જીતમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શહેરના મતદારોનો મિજાજ પારખવાનું ફરજીયાત થઇ પડશે ભાજપના સંગઠનના પદાધિકારીઓ જો મતદારોના મિજાજને પારખવામાં ભૂલ કરશે તેવા સંજોગોમાં ભાજપએ ભારે નુકશાન બવેઠવાની નોબત આવે તેવી ગણતરી રાજકીય વિશ્લેષકો કરી રહ્યા છે.નગરપાલિકાના વર્તમાન શસકોના શાસન કાળમાં વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત નાગરિકો નગરપાલિકાના ઇતિહાસમાં સૌથી વધુ મોરચા કાઢવાની ફરજ પડી હોવાનું નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે જે વર્તમાન શાસકોનું નબળું પાસું રહ્યું છે.
તેવા સંજોગોમાં ભાજપ સંગઠનના પદાધિકારીઓએ છાશ પણ ફૂંકીને પીવાની ફરજ પડશે
હાલ દાવેદારોએ નિયુક્ત થયેલ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી રજૂ કરી છે. નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી નામાવલી શોર્ટલિસ્ટ કાર્ય બાદ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે અને ત્યાર બાદ ભાજપ પક્ષ દ્વારા વોર્ડ સભ્યોને ટિકિટની ફાળવણી કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું છે.પક્ષ દ્વારા ટિકિટ નહિ આપવાના સંજોગોમાં દાવેદારોએ અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી પણ શરૂ કરી હોય ભાજપના પદાધિકારીઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.