પારડી તાલુકાના પલસાણા ગામનું મુખ્ય તળાવ માં માટી ખનન નું કામ એક કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી વગર હાથ ધરાતા સરપંચ સહીત ગામ લોકો એ માટી ખોદવાનું કામ બંધ કરાવ્યું હતું। માટી ખનન નું કામ જે પલસાણા ગ્રામપંચાયત ના ઉપસરપંચ મિત્તલ જોશી એ પંચાયતના સભ્યો ને વિશ્વાસ માં લીધા વગર કોન્ટ્રેક્ટ દ્વારા ખોદકામ કરવામાં આવે તે પહેલા ગામજનો નો ઉગ્ર વિરોધ તેમજ ગામના સરપંચ મહેશભાઈ નાયક ના જણાવ્યા મુજબ માટી ખનન માટે કલેકટર કે તેમજ ખાન ખનીજ વિભાગ માંથી કોઈ પણ પ્રકાર ની પરવાનગીના કાગળિયા કૉન્ટ્રૅક્ટર દ્વારા રજૂ ન કરવામાં આવતા તેઓ તેમજ અન્ય પંચાયતના સભ્ય વિનોદભાઈ, અને ગામના અગ્રણીઓ એ અટકાવ્યું હતું। સમગ્ર હકીકત અંગે ગામજનો ના જણાવ્યા મુજબ તળાવમાં માટી ખોદકામનું કામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી. આ માટી ખોદકામ માટે એક રેલવે ના કોન્ટ્રાકટર ને સોંપવાની ચર્ચા એ જોર પકડ્યું હતું। જો કે ત્યારબાદ સમગ્ર તળાવના ખોદકામ નું કામ પલસાણા ગ્રામપંચાયત ની સોમવારના રોજ ગ્રામ સભામાં સર્વનામતે નિર્ણય લેવામાં આવશે હોવાનું સરપંચ તેમજ અગ્રણીઓ એ જણાવ્યું હતું। ત્યારે તળાવ ના માટી ખનન ના મુદ્દે ગ્રામસભા ગરમાશે.