Valsad: ઉદવાડા કિકરલાનાં સરપંચે ગામનું તળાવ ખોદી કરોડો રૂપિયાની માટી બારોબાર વેંચી મારવાનાં આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા. ગામનાં લોકોનું કહેવું છે ગામનાં સરપંચશ્રી સરકારી તળાવમાં મશીન લગાવી પાણી ગટરમાં ઠાલવી તળાવ સૂકું કરી રહ્યાં છે.
જેથી તળાવમાંથી માટીનું ખન્નન કરી બારોબાર વેંચી પોતાની તિજોરી ભરવાનું કાવતરું રચીને સરકારી તિજોરીને નુકસાન થાય તેવા કૃત્ય કરી રહ્યા છે.
બે વર્ષ પહેલાં પણ આજ તળાવમાંથી અડધા કરોડ રૂપિયાની માટી તંત્રને અંધારામાં રાખી બારોબાર વેંચી પોતાની તિજોરી ભરવાનું કાવતરું રચ્યું હતું.
ગ્રામજનોનું કહેવુંછે ગ્રામસભા ભરાઈ જેમાં કોઈને જાણ કરવામાં નહીં આવી અને અંદરના માણસોને સાથે રાખી અધિકારીઓ સાથે ઠરાવ પાસ કરવામાં આવ્યું.
આજે જ્યારે ગ્રામજનો ઠરાવની કોપી માંગી તો સરપંચ આજીજી કરવા લાગ્યાં જેથી ગ્રામજનોએ સરકારી કચેરીઓ માં અરજીઓ કરી હતી.
TDO, DDO કલેકટરશ્રી અને મામલતદાર ને લેખિત અરજી કરી હતી આજે વીસ દિવસ થી વધુ સમય થઈ ગયું પણ કોઈ અધકરીએ જોગ્ય પગલાં નહીં ભરતાં ગ્રામવાસીઓ એ મીડિયા સમક્ષ પોતાની દુખભરી દાસ્તાન વ્યક્ત કરીસાથે તળાવ ખોદવાનું કામ કરતાં બહારનાં ઇસમોને અટકાવી કામ બંધ કરવા જણાવ્યું હતું.
જ્યારે મીડિયા સમક્ષ ગામલોકો ઇન્ટરવ્યૂ આપી રહ્યાં હતાં તે સમય કહેવાતાં સરપંચના સાગરીતો સ્થળ ઉપર આવી માથાફૂટ કરવાનું શરૂ કરી મૂક્યું હતું.
સ્થળ ઉપર એક ટ્રેક્ટર પણ જોવા મળ્યું જે નંબર પ્લેટ વગરનું હતું અને આજ ટ્રેક્ટરનાં માધ્યમથી તળાવને ખન્નન કરવા મુકાયેલું હતું. તળાવમાંથી પાણી બહાર કાઢવા મશીનો મૂકવામાં આવેલછે છતાં કોઈ તંત્રને નજર નથી આવ્યું.
જ્યાંસુધી સરકારી બાબુઓ સ્થળ ઉપર વિજીત નહીં કરે ત્યાં સુધી કેમ ખબર પડશે કે સરપંચશ્રી કેવા ખેલ ખેલી રહ્યાં છે
ગામનાં તળાવમાં પાણી નહીં બચેતો ઢોર ઢાંકર પાણી ક્યાં પીવા જશે અને ગામનાં ભુજળો શુકાઈ જશે જેથી ખેતીનાં પાકને નુકશાન થશે અને પીવાનાં પાણીનાં પણ લાલા થઈ જશે.
હવે જોવાનું રહ્યું સરકારી બાબુઓ ક્યારે ખુરશી ઉપરથી ઉખડી ગ્રામજનો ની સમસ્યાનું નિવારણ કરશે.