Valsad:અખિલ ભારતીય ક્ષત્રિય રાજપૂત સમાજ વલસાડની આગેવાનીમાં વલસાડ જિલ્લાના ક્ષત્રિય સમાજના હોદ્દેદારોએ પુરુષોત્તમ રૂપાલાને BJP દ્વારા આપવામાં આવેલી લોકસભાની ટીકીટ રદ્દ કરવા અને બેઠક ઉપર અન્ય ઉમેદવાર મુકવાની માંગ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.
- જો રૂપાલએ લોકસભાનું ઉમેદવારી પત્ર ભર્યું તો BJPને સમગ્ર ગુજરાતમાં નુકશાની ભોગવવાનો વારો આવશે
- રાજપૂત સમાજ વિશે ટિપ્પણી કરવા બદલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે.
અખિલ ભારતીય ક્ષત્રિય રાજપૂત સમાજની આગેવાનીમાં વલસાડ જિલ્લા રાજપૂત સમાજની આગેવાનીમાં વલસાડ જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ઉદ્દેશીને રાજપૂત સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં વલસાડ જિલ્લા કલેકટકરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ તમામ રાજપૂત સમાજ અને ક્ષત્રણીઓ નારાજ છે અને આપણા રાજપૂત સમાજની માંગ છે. કે પુરૂષોત્તમ રૂપાલાને લોકસભાની ચૂંટણીમાં મળેલી ટીકીટથી વંચિત રાખવામાં આવે. રાજપૂત સમાજ આગળ પણ જોરદાર દેખાવો અને વિરોધ પ્રદર્શન કરશે.
દર વખતે ભાજપના કાર્યકરો રાજપૂત સમાજ પ્રત્યે કંઈક ટિપ્પણી કરે છે. અને માફી માંગી લેશે જોકે, આ વખતે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન માફીને યોગ્ય નથી. વલસાડ જિલ્લા અખિલ ભારતીય ક્ષત્રિય સમાજના આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પુરુષોત્તમ રૂપાલાને આપેલી લોકસભાની ટીકીટ રદ્દ કરી બીજો ઉમેદવાર મૂકે અથવાતો વલસાડ જિલ્લા સહિત.સમગ્ર રાજ્યમાં અને દેશમાં અખિલ ભારતીય રાજપૂત સમાજની આગેવાનીમાં BJP વિરુદ્ધ કાર્યવાહી કરવાની ચીમકી આપી છે.