નવી દિલ્હી તા.8: પીએમ નરેન્દ્ર મોદીએ પૂર્વ પીએમ મનમોહન સિંહ પર કરેલા ‘રેઈનકોટ’ કટાક્ષને કારણે થયેલા હોબાળા પર બીજેપી અધ્યક્ષ અમિત શાહે પીએમ મોદીનો બચાવ કર્યો છે. ઉત્તરાખંડના ટિહરીમાં ગુરુવારે એક સભાને સંબોધિત કરતાં પૂર્વ પીએમ મનમોહન સિંહ પર અમિત શાહે નિશાન સાધ્યા હતા. શાહે કહ્યું કે, મનમોહનના કાર્યકાળમાં અનેક સ્કેમ થયા. અમિત શાહે કહ્યું કે, મોદીએ સંસદમાં મનમોહન સિંહ પર એવું તો શું ખોટું કહ્યું? યૂપીએ શાસનમાં થયેલા સ્કેમની જવાબદારી મનમોહન સિંહની જ છે. તેમના કાર્યકાળમાં 12 લાખ કરોડ રુપિયાના સ્કેમ થયા. આ બધા માટે મનમોહન અને કોંગ્રેસ પાર્ટી જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે બુધવારે રાજ્યસભામાં નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહ પર કટાક્ષ કર્યો હતો કે, બાથરુમમાં રેઈનકોટ પહેરીને ન્હાવાનું કોઈ ડોક્ટર સાહેબ પાસેથી શીખે. અમિત શાહે આગળ કહ્યું કે, હવે કોંગ્રેસ પાર્ટી કહી રહી છે કે પીએમ મોદીએ આવું ન બોલવું જોઈએ, પણ તેમણે નરેન્દ્ર મોદી માટે જે શબ્દોના ઉપયોગ કર્યા છે, તે કદાચ ભૂલી ગયા હશે. અમિત શાહે નામ લીધા વિના મલ્લિકાર્જુન પર નિશાન સાધતાં કહ્યું કે, કોંગ્રેસના એક નેતાએ લોકસભામાં શું કહ્યું તેના પર કોઈનું ધ્યાન નથી જતું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પીએમ મોદી માટે કેવા પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હતો? સર્જિકલ સ્ટ્રાઈક પછી રાહુલ ગાંધીએ પીએમ પર લોહીની દલાલી જેવા આરોપ લગાવ્યા હતા. શું આ શબ્દ યોગ્ય છે? ભારત સરકારનું ઓર્ડિનન્સ કોણે ફાડ્યું હતુ? શું આ પીએમનું અપમાન નથી?


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.