અમદાવાદ માં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ખાનગી હોસ્પિટલમાં માં સારવાર દરમ્યાન ગત રાત્રિએ નિધન થયા બાદ સદગત ના સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
હાલ કોરોના સ્થિતિ ને લઈ નિયમો મુજબ મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં PPE કીટ પહેરીને સોશયલ ડિસ્ટનીંગ ના પાલન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. વિશ્વભરના હરિભક્તો તથા સંતોએ https://www.swaminarayangadi.com વેબસાઇટ ના માધ્યમ થી આજે સવારે 7 વાગ્યાથી ઓનલાઇન અંતિમ દર્શન કર્યા હતા અને ઓનલાઇન રીતે અંતિમવિધિમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.
