સુરતથી ૬૫ ટ્રેક્ટરો અને ૧૦૦ કારના કાફલા સાથે ‘ખેડૂત અધિકાર યાત્રા’ રવાના

3 Min Read

ખેડૂતોનો હુંકાર: પાવર ગ્રીડ વીજ લાઇનના વિરોધમાં સુરતથી ગાંધીનગર સુધી ટ્રેક્ટર કૂચ, ઓલપાડમાં કડક નારેબાજી સાથે ‘ખેડૂત અધિકાર યાત્રા’ રવાના!

ગુજરાતનો જગતતાત ફરી એકવાર પોતાના હક અને જમીનની રક્ષા માટે રસ્તા પર ઉતર્યો છે. સરકારી પ્રોજેક્ટોના નામે ખેડૂતોની કિંમતી જમીનોમાંથી પસાર થતી પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઈનો સામે સમગ્ર રાજ્યના ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ આક્રોશ હવે એક મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. આવતીકાલે ગાંધીનગર ખાતે આ પ્રોજેક્ટના વિરોધમાં ગુજરાતભરના ખેડૂતોનું એક વિશાળ મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે, જેમાં શક્તિપ્રદર્શન કરવા અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે સુરત જિલ્લાના ખેડૂતોએ પણ રણશિંગું ફૂંકી દીધું છે.

ઓલપાડનું વડોલી બન્યું લડતનું કેન્દ્ર: ‘ખેડૂત અધિકાર યાત્રા’માં જનમેદની ઉમટી

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાનું વડોલી ગામ આજે વહેલી સવારથી જ ખાખી વર્દી અને ખેડૂતોના લીલા રેશમી ખેસથી ગુંજી ઉઠ્યું હતું. અહીં મોટી સંખ્યામાં આસપાસના ગામોના ખેડૂતો પોતાના હક માટે એકઠા થયા હતા. ગાંધીનગરના મહાસંમેલનમાં જોડાવા માટે વડોલી ખાતેથી એક ભવ્ય ‘ખેડૂત અધિકાર યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

sss.jpg

આ કોઈ સામાન્ય રેલી નહોતી, પણ પોતાના અસ્તિત્વને બચાવવાની લડાઈ હતી. વડોલીમાં સેંકડો ખેડૂતો સવારથી જ પોતાના ટ્રેક્ટરો અને વાહનો સાથે પહોંચી ગયા હતા. વડીલો, યુવાનો અને સ્થાનિક ખેડૂત આગેવાનોની આંખોમાં સરકારની નીતિઓ સામે સ્પષ્ટ ગુસ્સો જોવા મળી રહ્યો હતો. એક વરિષ્ઠ ખેડૂત આગેવાને જણાવ્યું કે, “અમે સરકારને વિકાસ વિરોધી નથી, પણ વિકાસના નામે અમારા ખેતરોના ટુકડા કરી નાખવામાં આવે અને અમને પૂરતું વળતર કે ન્યાય ન મળે, તો અમારે રસ્તા પર ઉતર્યા વગર કોઈ છૂટકો નથી.”

- Advertisement -

૬૫ ટ્રેક્ટરો અને ૧૦૦ કારનો કાફલો ગાંધીનગર જવા રવાના

સુરત જિલ્લાના ખેડૂતો માત્ર ગાંધીનગર પહોંચવા ખાતર નથી જઈ રહ્યા, પણ તેઓ એક મજબૂત સંદેશ લઈને જઈ રહ્યા છે. વડોલી ખાતેથી ખેડૂતોનો એક વિશાળ રેકોર્ડબ્રેક કાફલો રવાના થયો હતો. આ કાફલામાં:

  • ૬૫ જેટલા લાઇનબદ્ધ ટ્રેક્ટરો (જે ખેડૂતોની ઓળખ અને શક્તિનું પ્રતીક છે)
  • ૧૦૦ થી વધુ કાર અને અન્ય વાહનો

આ આખો કાફલો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી પસાર થતાં જ વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું. હાઇવે પર ટ્રેક્ટરોની આ લાંબી કતાર જોઈને પસાર થતા અન્ય વાહનચાલકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ખેડૂતોનો ઉત્સાહ અને એકતા જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે આ વખતે જગતતાત આરપારની લડાઈ લડવાના મૂડમાં છે.

sss12.jpg

- Advertisement -

“ટાવર લાઇન રદ કરો, ખેડૂત ઝિંદાબાદ” ના નારાથી ગુંજ્યું આકાશ

આ યાત્રા દરમિયાન ખેડૂતોનો આક્રોશ આકાશને આંબી રહ્યો હતો. ટ્રેક્ટરો પર કાળા અને લીલા ઝંડા લહેરાવીને ખેડૂતોએ સરકાર સામે સીધો મોરચો માંડ્યો હતો. યાત્રાના સમગ્ર રૂટ દરમિયાન ખેડૂતોએ ગગનભેદી નારેબાજી કરી હતી:

“અમારી જમીન, અમારો હક – ટાવર લાઇન રદ કરો!”
“ખેડૂત એકતા ઝિંદાબાદ… જગતતાત ઝિંદાબાદ!”
“વિકાસના નામે ખેડૂતો પર દમન બંધ કરો!”

ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતરોની વચોવચ મોટા ટાવરો ઊભા કરી દેવાને કારણે જમીનની કિંમત શૂન્ય થઈ જાય છે અને ખેતી કરવામાં ભારે મુશ્કેલી પડે છે. વળી, કંપનીઓ દ્વારા રાતોરાત ઊભા કરી દેવાતા આ પ્રોજેક્ટ્સમાં સ્થાનિક ખેડૂતોના અભિપ્રાયને સહેજ પણ ગણતરીમાં લેવામાં આવતો નથી, જે લોકશાહીનું અપમાન છે.

Share This Article