ભારતીય જીવન વીમા નિગમના એલઆઈસી આઈપીઓના ઈશયુ સાઇઝના 10 ટકા સુધી પોલિસીધારકો માટે અનામત રાખવામાં આવશે. નાણાં રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારે આ વાત કરી હતી. નાણાં રાજ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સરકાર એલઆઈસીમાં બહુમતી શેરહોલ્ડર રહેશે. એટલે કે કંપનીની માલિકી સરકાર પાસે રહેશે. ઠાકુરે જણાવ્યું હતું કે શેરધારકોના હિતોનું રક્ષણ કરવા માટે કંપનીનું મેનેજમેન્ટ નિયંત્રણ પણ સરકાર પાસે રહેશે.
રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ઠાકુરે જણાવ્યું હતું કે, “વર્ષ 2021-22ના ફાઇનાન્સ બિલમાં એલઆઈસી લાઇફ ઇન્સ્યોરન્સ પોલિસીધારકોને એલઆઈસી આઈપીઓના ઈશ્યુ સાઇઝના 10 ટકા સુધી સ્પર્ધાત્મક ધોરણે આપવાનો પ્રસ્તાવ છે. ‘
એક ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટ 2021માં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે એલઆઈસીનો આઈપીઓ આગામી નાણાકીય વર્ષમાં લોન્ચ કરવામાં આવશે. આગામી નાણાકીય વર્ષ 2021-22 એપ્રિલ, 2021થી શરૂ થવાનું છે. જણાવી એ જણાવી એ કે એલઆઈસી સંશોધન કાયદાને નાણાં વિધેયકનો ભાગ બનાવવામાં આવ્યો છે, જેના કારણે દેશની સૌથી મોટી જીવન વીમાકંપનીનો આઈપીઓ શરૂ કરવા માટે જરૂરી કાયદાકીય સુધારો લાવવામાં આવ્યો છે.