વિમાન દુર્ઘટના ટળી: 5 સાંસદોની જીવદાયી બચાવ સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટ 2 કલાક હવામાં અટવાઈ
સોમવારના સવારે ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં. AI 2455 માં બેઠેલા મુસાફરો માટે ભયજનક ક્ષણો સર્જાઈ હતી, જ્યારે ટેકનિકલ ખામીના કારણે વિમાનને ચેન્નાઈ તરફ વાળવું પડ્યું. વિમાનમાં કેસી વેણુગોપાલ, કોડિકુન્નિલ સુરેશ, અદૂર પ્રકાશ, કે. રાધાકૃષ્ણન, અને રોબર્ટ બ્રુસ જેવા પાંચ લોકસભા સાંસદો હાજર હતા. વિમાન લગભગ 2 કલાક સુધી હવામાં ચક્કર મારતું રહ્યું, અને લેન્ડિંગ માટે પરવાનગી નહીં મળતાં મુસાફરોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું.
ટેકનિકલ ખામી અને ફ્લાઇટ વિલંબ
સાંસદ કેસી વેણુગોપાલે માહિતી આપી કે ફ્લાઇટ પહેલેથી જ મોડી શરૂ થઈ હતી. ટેકઓફ પછી થોડા સમય દરમ્યાનજ વિમાનમાં અશાંતિ અનુભવાઈ. એક કલાક પછી પાયલોટે જણાવ્યું કે સિગ્નલ સિસ્ટમમાં ખામી જણાઈ રહી છે. સુરક્ષાને ધ્યાને રાખી, વિમાનને તરત ચેન્નાઈ તરફ વાળવામાં આવ્યું.
રનવે પર વિમાન, લેન્ડિંગ રોકાયું
જ્યારે AI 2455 પહેલી વાર લેન્ડ કરવા જઈ રહી હતી, ત્યારે રનવે પર પહેલેથી જ બીજું વિમાન હાજર હતું. પાયલોટે તરત જ યૂ-ટર્ન લઇ વિમાનને ફરી ઉંચે ઉડાવ્યું. બે પ્રયત્નો પછી, યોગ્ય સિગ્નલ મળતાં વિમાન સફળતાપૂર્વક લેન્ડ થયું.
મુસાફરોમાં ગભરાટ, છેલ્લા વર્ષે થયેલી દુર્ઘટનાઓ યાદ આવી
આ દુર્ઘટનાને ટળી જવા છતાં મુસાફરોના મગજમાં ભય છવાઈ ગયો હતો. ઘણા મુસાફરોને ગયા વર્ષે અમદાવાદની વિમાન દુર્ઘટનાની યાદ આવી. વિમાન અંદરનો વાતાવરણ તણાવપૂર્ણ બની ગયો હતો.
Air India flight AI 2455 from Trivandrum to Delhi – carrying myself, several MPs, and hundreds of passengers – came frighteningly close to tragedy today.
What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…
— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025
વેણુગોપાલે તપાસ અને જવાબદારીની માંગ કરી
સાંસદ વેણુગોપાલે X પ્લેટફોર્મ પર લખ્યું કે “મુસાફરોની સુરક્ષા નસીબ પર ન હોવી જોઈએ.” તેમણે DGCA અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય પાસે ઘટનાની તાત્કાલિક તપાસ કરવા તથા જવાબદારની ઓળખ કરવા વિનંતી કરી છે.
તેમણે એવી પણ અપેક્ષા વ્યક્ત કરી કે આવો દુર્ઘટનાજનક અનુભવ ફરી ક્યારેય કોઈ મુસાફરને ભોગવવો ન પડે.