તુલસી વિવાહની સામગ્રી: તુલસી વિવાહ કેવી રીતે કરાવવામાં આવે છે? જાણો તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે
તુલસી વિવાહનું આયોજન કાર્તિક શુક્લ પક્ષની દ્વાદશી તિથિએ કરવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ભક્તો તુલસી માતાના લગ્ન ભગવાન શાલિગ્રામ સાથે કરાવે છે. આ અનુષ્ઠાન સમયે ઘણી સામગ્રીની જરૂર પડે છે. અહીં તમે જાણશો કે તુલસી વિવાહમાં કયો સામાન લાગે છે.
તુલસી વિવાહની સામગ્રી
પંચાંગ મુજબ તુલસી વિવાહનું આયોજન આ વર્ષે 2 નવેમ્બરે કરવામાં આવશે. આ શુભ અવસર પર લોકો વિધિ-વિધાનથી તુલસી માતા અને શાલિગ્રામજીના લગ્ન કરાવે છે. કહેવાય છે કે તુલસી વિવાહ કરાવવાથી કન્યાદાન બરાબર પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. કહેવાય છે કે જે લોકોના ઘરે કન્યા ન હોય તેમને તુલસી વિવાહ કરાવીને કન્યા દાનનું પુણ્ય ફળ અવશ્ય પ્રાપ્ત કરવું જોઈએ. ચાલો જણાવીએ કે તુલસી વિવાહ કેવી રીતે કરાવવામાં આવે છે અને આ દરમિયાન કઈ સામગ્રીની જરૂર પડે છે.

તુલસી વિવાહની સામગ્રીની યાદી
- તુલસીનો છોડ
- ભગવાન વિષ્ણુ અથવા શાલિગ્રામજીની પ્રતિમા
- લાલ રંગનું વસ્ત્ર
- કલશ
- આંબાના પાંદડા
- પૂજાની ચોકી
- સુહાગની સામગ્રી (વેઢ, સિંદૂર, ચાંદલો, ચૂંદડી, મહેંદી વગેરે)
- ફળ (મૂળા, શક્કરિયા, શિંગોડા, આમળા, જામફળ વગેરે)
- કેળાના પાંદડા
- હળદરની ગાંઠ
- નાળિયેર
- કપૂર
- રોલી (કંકુ)
- ગંગાજળ
- ઘી
- ધૂપ
- ચંદન
તુલસી વિવાહ કેવી રીતે કરાવવો
- તુલસી વિવાહ સંપન્ન કરાવવા માટે એક ચોકી પર આસન પાથરો અને તેના પર તુલસીના છોડને રાખો.
- આ વાતનું ધ્યાન રાખો કે તુલસીનો કૂંડો ગેરુથી (geru) રંગેલો અવશ્ય હોય. હવે બીજી ચોકી પર શાલિગ્રામ ભગવાનને સ્થાપિત કરો.
- હવે શેરડીની મદદથી બંને ચોકીઓ ઉપર મંડપ બનાવો.
- એક કળશમાં પાણી ભરીને રાખવાનું છે અને તેમાં પાંચ આંબાના પાન લગાવીને પૂજા સ્થાન પર રાખી લો.
- હવે ઘીનો દીવો પ્રગટાવો.

- ભગવાન શાલિગ્રામ અને તુલસીના છોડ પર ગંગાજળ છાંટો. સાથે જ રોલી લગાવો.
- તુલસી માતાને ચૂંદડી કે સાડી પહેરાવો. સાથે જ શ્રૃંગાર સામગ્રી અર્પણ કરો.
- આ પછી ચોકી સહિત શાલિગ્રામ ભગવાનને હાથમાં લઈને તુલસીના છોડની સાત પરિક્રમા કરો. આ વિધિ તુલસીજી અને શાલિગ્રામ ભગવાનના સાત ફેરા કરાવવાનું પ્રતીક હોય છે.
- ધ્યાન રહે કે શાલિગ્રામ ભગવાનને કોઈ પુરુષે જ ઊંચકીને ફેરા કરાવવાના છે.
- અંતમાં તુલસી માતા અને શાલિગ્રામ ભગવાનની આરતી કરો.
