Gujarat Relief Package: ગુજરાત સરકારના 10 હજાર કરોડના રાહત પેકેજ પર રાજકીય ઘમાસાણ

By
Arati Parmar
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding...
2 Min Read

Gujarat Relief Package: 10 હજાર કરોડના રાહત પેકેજની જાહેરાતથી રાજકીય ગરમાવો

Gujarat Relief Package: રાજ્યમાં કમોસમી વરસાદથી નુકસાન વેઠનાર ખેડૂતો માટે ગુજરાત સરકારે ઐતિહાસિક ગણાતું રૂ. 10 હજાર કરોડનું રાહત પેકેજ (Gujarat Relief Package) જાહેર કર્યું છે. આ પેકેજને રાજ્યના ઇતિહાસમાં સૌથી મોટું ગણાવવામાં આવી રહ્યું છે. પરંતુ પેકેજ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષોમાં આ મુદ્દે ગરમાવો વધી ગયો છે.

ભાજપ સરકારના આ નિર્ણયને લઇને હવે વિરોધ પક્ષો પણ મેદાનમાં ઊતરી આવ્યા છે. કોંગ્રેસ અને ભાજપ પછી આમ આદમી પાર્ટી (AAP) એ પણ આ પેકેજને અપૂર્ણ અને દેખાવડું ગણાવીને સરકારની ટીકા કરી છે.

Gujarat Relief Package 2

- Advertisement -

ગોપાલ ઇટાલિયાની ટીકા – “ખેડૂતો માલામાલ નહીં, મજાક થઇ ગઈ”

વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઇ ઇટાલિયા (MLA Gopalbhai Italia) એ જણાવ્યું કે, “સરકાર 10 હજાર કરોડની વાત કરે છે એટલે લાગે કે હવે ખેડૂતોના ખેતરમાં હેલિકોપ્ટર ઉતરી જશે. પરંતુ હકીકત એવી છે કે ખેડૂતોને હાથમાં આવતી રકમ તેમના દવા, ખાતર, મજૂરી અને બિયારણના ખર્ચા કરતા પણ ઓછી છે.”

તેમણે ઉમેર્યું કે, “આ પેકેજને રાહત નહીં પણ મજાક કહી શકાય. ખેડૂતના વાસ્તવિક નુકસાનની સામે આ રકમ અતિ નાની છે. સરકારે જો ખરેખર ખેડૂતપ્રેમ બતાવવો હોય તો દેવા માફી કે પૂરતી સહાય આપવી જોઈએ.”’

- Advertisement -

Gujarat Relief Package 3

ખેડૂતોમાં અસંતોષ અને વિરોધની લહેર

રાજ્યના અનેક વિસ્તારોમાંથી ખેડૂતોના અસંતોષના અવાજ ઉઠી રહ્યા છે. ઘણા ખેડૂતો માને છે કે આ રાહત પેકેજ માત્ર કાગળ ઉપરનું આંકડા છે, હકીકતમાં તેની અસર જમીન સ્તરે દેખાશે નહીં. કેટલાક ખેડૂતોના મતે, નુકસાનના પ્રમાણ મુજબ સહાય નક્કી કરવી જોઈતી હતી, ન કે એક સરખી રકમ બધાને આપવી.

દેવા માફી માટે વધતી માંગ

રાજકીય પક્ષો અને ખેડૂતોની સંસ્થાઓ બંનેએ સરકાર સામે દેવા માફી જેવી મોટી માંગ ઉઠાવી છે. ઘણા નેતાઓએ કહ્યું કે, માત્ર સહાયથી ખેડૂતો ઉભા રહી શકશે નહીં. “Gujarat Relief Package” ને વધુ અસરકારક બનાવવા માટે સરકારને વાસ્તવિક આંકડા અને જમીન સ્તરની સ્થિતિને ધ્યાને લેવી જરૂરી છે.

- Advertisement -
Share This Article
Arati Parmar is a dedicated content writer at Satya Day News, known for delivering impactful news and stories in the Gujarati language. With a deep understanding of regional culture, social issues, and current events, she brings clarity, authenticity, and relevance to every piece she writes. Arati is committed to presenting factual and reader-friendly news content that resonates with the Gujarati-speaking audience. Follow her for trusted local news, thoughtful insights, and culturally rooted reporting — all in your language.