દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની જાહેરાત કરી છે. દિલ્હીનાં લોકો માટે સીએમ કેજરીવાલે પાણીનાં બિલનાં રૂપમાં વધુ એક ભેટ આપી છે.
કેજરીવાલે દિલ્હીવાલીઓના બાકી નિકળતા પાણી બિલને માફ કર્યુ છે. આ માફી તેમને મળશે જેમના ઘરે પાણીના મીટર છે. તેમણે જણાવ્યુ કે, આમ આદમી પાર્ટીની સરકારે બિલિંગ માટે નવી સિસ્ટમ શરૂ કરી છે.
જેથી પાણીનું મીટર ધરાવનારને ફાયદો થશે. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા કેજરીવાલે વીજળી બિલ અને મેટ્રોમાં મહિલાઓને મફતમાં મુસાફરીની જાહેરાત કરી હતી. મહત્વપૂર્ણ છે કે, કેજરીવાલ એક બાદ એક ચૂંટણીલક્ષી મત્વના નિર્ણય લઈ રહ્યા છે.