અમદાવાદ માં તા.30 સપ્ટેમ્બરથી મેટ્રો ટ્રેન દોડતી થઈ જશે, જેમાં લોકોને ખાનગી વાહનમાં ચૂકવવા પડતા મોટા ભાડામાંથી મુક્તિ મળશે અને સસ્તી મુસાફરી નો લાભ મળશે.
21 કિલોમીટરના વસ્ત્રાલ ગામથી થલતેજ સુધીના અને 18.89 કિલોમીટરના એપીએમસીથી મોટેરા સુધીના રૂટ પર એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. મેટ્રોનું ભાડું રૂ.5, 10,15, 20 અને 25 રહેશે.
બંને કોરિડોરના 40 કિલોમીટરના રૂટ માટે 32 મેટ્રો ટ્રેન દોડાવાશે. શરૂઆતમાં દર અડધો કલાકે મેટ્રો મળશે અને ડિમાન્ડ વધ્યા પછી દર પાંચ મિનિટે મળતી થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વસ્ત્રાલ ગામથી થલતેજ રિક્ષામાં જાવ તો રૂ.325 ભાડું અને કેબમાં ભાડું 360 થાય છે. એપીએમસીથી મોટેરા કેબ માટે 320 અને રિક્ષાનું ભાડું રૂ.246 થાય છે તેવા સમયે મેટ્રોની મુસાફરી હવે સસ્તી પડશે.