અમદાવાદમાં ચાલુ થયેલી ધન્વંતરિ કોવિડ હોસ્પિટલ માં દર્દીઓને દાખલ થવા માટે કહેવાતી સંવેદનશીલ સરકારે નિયમ બહાર પાડ્યો છે કે માત્ર 108 એમ્બ્યુલન્સમાં આવનારને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 1000 બેડની આ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીની ગંભીર સ્થિતિ નહીં, પણ જો તેઓ 108 એમ્બ્યુલન્સમાં આવ્યા હોય તેને જ એડમિટ કરવાનો વિચિત્ર નિયમ સરકારે દાખલ કર્યો છે, પરંતુ કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે 108ને ફોન કરે તો 8-8 કલાક સુધી 108 આવતી નથી અને લોકો સારવારના અભાવે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આથી આ જડતાપૂર્ણ નિર્ણયને લીધે અનેક દર્દીઓ હેરાન થઈ ગયા છે. અને સરકારની આવી નીતિ સામે ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે, તે સંજોગોમાં સરકારે આ તઘલઘી નિર્ણય પાછો ખેંચવો પડે એવી સ્થિતિ નિર્માણ પામી છે.
હાલ કોરોના વાયરસનો બીજો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં તો લોકો ટપોટપ દમ તોડી રહ્યાં છે. આની સામે સરકાર લડવા માટે કટિબદ્ધ હોવાના દાવા તો કરી રહી છે પરંતુ બીજી તરફ એ પણ હકીકત છે કે લોકોની હાલત રામભરોસે હોઈ તેવું જણાઇ રહ્યું છે.
હાલ કોરોના વાયરસનો બીજો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. જેમાં અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં તો લોકો ટપોટપ દમ તોડી રહ્યાં છે. આની સામે સરકાર લડવા માટે કટિબદ્ધ હોવાના દાવા તો કરી રહી છે પરંતુ બીજી તરફ એ પણ હકીકત છે કે લોકોની હાલત રામભરોસે હોઈ તેવું જણાઇ રહ્યું છે.