ahemdabad news : રુવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2024-25ના વચગાળાના બજેટમાં ગુજરાત માટે રેલવેને લઈને ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે.
રેલવે, કોમ્યુનિકેશન્સ અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જણાવ્યું હતું કે સાબરમતી-વટવા વચ્ચે ચોથો રેલવે ટ્રેક નાખવામાં આવશે, મહેસાણા-પાલનપુર સેક્શનનું ટ્રેક ડબલિંગ પણ થશે.
ગુજરાત રાજ્ય માટે રૂ. 8587 કરોડનો ખર્ચ છે, જે વર્ષ 2009-2014ના રૂ. 589 કરોડના સરેરાશ ખર્ચ કરતાં 14 ગણો છે. 2009-14 વચ્ચે પ્રતિવર્ષ 132 કિમીની સરખામણીમાં હવે પ્રતિ વર્ષ 701 કિમીનો ટ્રેક નાખવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં કુલ રૂ. 30,789 કરોડનું રોકાણ થઈ રહ્યું છે. ગુજરાતમાં 97 ટકા રૂટનું વીજળીકરણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 28 વન સ્ટેશન વન પ્રોડક્ટ (OSOP) સ્ટોલ કાર્યરત છે જ્યારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 87 સ્ટેશનોનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે. સુરત અને સોમનાથ સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.
હાલના નવી દિલ્હી-મુંબઈ રૂટ (વડોદરા-અમદાવાદ સહિત) પર 160 kmph/200 kmphની ઝડપ વધારીને દિલ્હી-મુંબઈ વચ્ચે 12 કલાકનો મુસાફરી સમય હાંસલ કરવાના મિશન માટે રૂ. 2662 કરોડ પૂરા પાડવામાં આવશે. વડોદરા-અમદાવાદ ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ (500 RKM) વિકસાવવામાં આવશે. આ ઉપરાંત સાબરમતીમાં ટ્રેન સેટ માટે મેન્ટેનન્સ ડેપોની સ્થાપના માટે 2.5 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.